________________
साक्षात्कार्यं तत्त्वं, चिद्रूपानन्दमेदुरैर्भाव्यम् । हितकारी ज्ञानवता, मनुभववेद्यः प्रकारोऽयम् ॥ ८ ॥
કરવું ઈમ આતમ તત્ત્વશુભ દર્શન,
જ્ઞાન આનન્દ ભરપૂર થવું સંતત; હિતકર જ્ઞાનીને અનુભવવેદ્ય આ, પ્રકાર આપે યશોવિજય સુખ સંપાદ. ૮
(અધ્યાત્મસાર-આત્માનુભવાધિકા૨ (૨૦)ના શ્લોકો ૩૮ થી ૪૫નો પદ્યાનુવાદ પૂજ્યાચાર્યશ્રી વિજય દેવસૂરીશ્વરજીના શિષ્ય વિજય હેમચંદ્રસૂરિ મહારાજ.)
પછી એકવીસમા અધિકારમાં સજ્જનસ્તુતિના કુલ ૧૬ શ્લોક છે, તેમા શાર્દૂલ અને સ્રગ્ધરા છંદમાં જે શ્લોક છે તે તો શ્રી હર્ષના નૈષધ મહાકાવ્યને અને પંડિતરાજ જગન્નાથના ભામિની વિલાસના શ્લોકોને યાદ કરાવે તેવી ઊંચી શૈલીના છે.
આમ આ એકવીસ અધિકા૨માં દંભત્યાગ, ભવસ્વરૂપચિંતા, સમ્યક્ત્વ, આત્મનિશ્ચય અને આત્માનુભવ આ પાંચ અધિકારો તો ૧૪ બહુ અર્થસમૃદ્ધ છે. આ એવી ક્ષમતા ધરાવતો ગ્રંથ છે કે જેની ઉપર
વિવિધ દૃષ્ટિકોણથી ઘણાં વિવેચનો લખી શકાય. જેમ વૈદિક પરંપરામાં ભગવદ્ ગીતા ઉપર ઘણા બુદ્ધિશાળી વિદ્વાનો, વિચારકો ચિંતકોએ પોતાની આગવી દૃષ્ટિથી તેનાં અર્થઘટન કર્યાં છે, તેવી રીતે આ ગ્રંથ ઉપર ઘણું ઊંડું વિચારી શકાય, લખી શકાય તેમ છે. પણ આપણે ત્યાં આવા ગંભીર ગ્રંથો ઉપર એવું પ્રવાહી તાજું સ્વચ્છ વિવેચન હજી ખાસ લખાયું નથી એ એક હકીકત છે. આટલા વખતમાં આ ગ્રંથ ઉપર શું શું કામ થયું છે ? તેની ટૂંકી નોંધ જોઇએ.
(૧) આ ગ્રંથ ઉપર શ્રી શુભવીરવિજયજીએ ટબો લખ્યો છે અને તે ટબાસહિત આ ગ્રંથ પ્રકરણ રતાકર ભાગ-૧માં(પૃ૦ ૪૧૫ થી ૫૫૭) ઇ. સ. ૧૯૦૩ માં પ્રસિદ્ધ થયેલ છે.
શ્રુતજલઘિ પ્રવેશે નાવા