________________
બત્રીશી ૧૬, ૧૭, ૧૮ ઈશાનુગ્રહ વિચાર’ બત્રીશી એ વર્તમાન જૈન પરમ્પરામાં કંઈક નવો કહી શકાય તેવો વિચાર છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ બત્રીશીની અવતરણિકામાં જ લખે છે કે, ૧૫મી બત્રીશીમાં સમ્યદૃષ્ટિનો વિચાર રજૂ કર્યો, હવે સમ્યગ્દર્શનનો નિર્વાહ જેનાથી થાય, તે ઈશાનુગ્રહનું નિરૂપણ કરીએ છીએ. ઈશ પરમેશ્વર. એટલે કે કલેશદાયક સકળ-કર્મના વિપાકથી સંપૂર્ણ મુક્ત જે પુરુષવિશેષ તે પરમેશ્વર. આ પરમેશ્વરની કૃપાથી પણ યોગસિદ્ધિ પ્રાપ્ત થાય [૮૭ છે, આવું કેટલાંક માને છે, કેટલાંક એટલે પતંજલિ નામમતાનુયાયીઓ. આ વિચાર શરૂ કરીએ એટલે જગત્ કર્તુત્વનો વિચાર કરવો પડે. જગતના કર્તા તરીકે ઈશ્વરને જે માને છે તે તર્કથી પણ સંગત નથી. એ સમજાવવાની સાથે જૈન મતાનુસાર ઈશાનુગ્રહ વિચારની સંગતિ કેવી રીતે થઈ શકે, તે સુંદર રીતે ટૂંકાણમાં સમજાવ્યું છે કે, પરમેશ્વરની આજ્ઞા પાળવારૂપ વ્યાપારથી ઈશાનુગ્રહ પ્રાપ્ત થઈ શકે છે. એની જ પંકિત સાંભરી આવે છે: આણા પાળે સાહિબ તુસે, સકળ આપદા નાશે.”
આ પછી પતંજલિ યોગસૂત્રમાં કહેલી વાત, પ્રણવમંત્રના જાપ અને એના અર્થચિંતન વડે વિનોનો ક્ષય થાય છે, એ વ્યાજબી છે