________________
તેવું કહે છે. અહીં જે પ્રયૂહ-એટલે કે વિM શબ્દ દ્વારા જે કહ્યું છે, તે યોગ માર્ગના અંતરાય રૂપ ગણાય છે. તેમાં વ્યાધિ-તાવઅતિસાર વગેરે પ્રમાદ-આલસ્ય, ભ્રમ, સંદેહ વગેરે અત્તરાયો છે. તે પ્રણવ-ઑકારના જાપથી દૂર થાય છે. સ્તોત્ર કરતાં જાપ વધારે લાભકારક છે, એનું કારણ એ છે કે સ્તોત્રમાં વાણી-વચનયોગ વપરાય છે, જ્યારે જાપમાં મનોયોગ વપરાય છે. વચનયોગ કરતાં મનોયોગ સૂક્ષ્મ છે. સ્થૂલ કરતાં સૂક્ષ્મમાં શક્તિ અનેકઘણી વધારે હોય છે. હા એ જાપ વખતે વાણીનો વ્યાપાર સંપૂર્ણ બંધ રહેવો જોઈએ. મૌનપૂર્વકનો જાપ શ્રેષ્ઠ અને પ્રશંસનીય ગણાય છે. જાપથી ધ્યાનમાં જઈ શકાય છે. આ બત્રીશીમાં ૧૬મા શ્લોકથી લઈને ૨૪ શ્લોકો અધ્યાત્મસારમાં પંદરમા યોગાધિકારમાં ૬૦થી ૭૪ શ્લોક આવે છે. વિષય પણ સમાન છે.
અહીં આ નિરૂપણમાં પૂ. યાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી જિનશાસનની અનુપમ વિશાળતાનો પરિચય કરાવે છે. રાગ-દ્વેષમોહથી સર્વથા મુક્ત જે છે, તે ઈશ્વર છે. આને ગમે તે નામે તમે ઓળખો, તેથી મૂળ સ્વરૂપમાં તફાવત પડતો નથી. એ જ પ્રમાણે જૈન મને જે ભવચક્રમાં એટલે કે જન્મ-મરણની પરંપરામાં કારણભૂત આત્માએ બાંધેલાં કર્મ છે, તે તે પણ અન્ય દર્શનોના મતે પણ સંજ્ઞાભેદે જ તે કારણોનો સ્વીકાર થયો છે. વેદાન્તીઓ અવિદ્યા કહે છે, સાંખ્યમતાનુસારી કલેશ કહે છે. બૌદ્ધમતાવલંબીઓ વાસના કહે છે. શૈવ પંથીઓ પાશ કહે છે. આ પ્રમાણે ભવના હેતુભૂત કોઈક તત્ત્વને તો સર્વ સ્વીકારે છે. આ અંકમાં સર્વને જોવાની અને સર્વમાં એકને જોવાની સ્વાદ્વાદમૂલક સમુદાર દૃષ્ટિનું દર્શન છે. પરમકૃપાળુ પરમાત્માએ જે આપવાનું હતું તે સર્વ એક જ વખતે આપી દીધું. શું આપ્યું ? તો કહે છે કે, દર્શન-જ્ઞાન- ચારિત્રમય મોક્ષમાર્ગ આપી દીધો. પોતાને પ્રાપ્ત ભૂમિકાને અનુરૂપ ધર્મ ન કરે અને પરમાત્માની પાસે યાચના કરે તો શું મળે ! ભાગ્ય વિના
- શ્રુતજલધિ પ્રવેશે નાવા