________________
અને આ સમગ્ર ભવપ્રપંચથી મુક્ત એવા અનંત હોય છે. ઇયળ જેમ ભ્રમરીના ધ્યાનથી ભ્રમરપણાને પામે છે તેમ સિદ્ધભગવંતના ધ્યાનથી એ અવસ્થા પામી શકાય છે. તે સિદ્ધભગવંતો મિથ્યાત્વઅવિદ્યાથી જન્મતા તમામ વિકારોથી રહિત હોય છે. વ્યક્તિથી સિદ્ધશિલા ઉપર છે. અને શકિતથી સર્વત્ર છે. ગુણોનું માધુર્ય એટલું સાતિશાયી છે તે વર્ણવી શકાતું પણ નથી. એનાં નામ ગમે તે ગાઓ, મૂળ અર્થમાં કંઈ ભેદ નથી પડતો. આ સિદ્ધભગવંતોનું પરમાત્માના ગુણોનું જે ધ્યાન કરે છે. તે અકથ્ય અવર્ય આનંદ પામે છે.
આ રીતે પચ્ચીસીમાં બહુ રોચક શૈલીમાં પરમજ્યોતિ અને પરમાત્માના ગુણોનું વર્ણન કર્યું છે.
બન્ને ગ્રંથો મૂળ, પ્રતિમાસ્થાપન ન્યાય ગ્રન્થની સાથે વીર સંવત ૨૪૪૬માં પ્રસિદ્ધ થયેલ છે. વળી એ બન્ને ગ્રંથ મૂળ માત્ર ઐદ્રસ્તુતિ-ચતુર્વિશતિકા' સ્વોપજ્ઞ વિવરણયુક્ત જે આત્માનંદ સભા પ્ર. વર્ષ. વિ.સં. ૧૯૮૪ (ભાવનગરથી પ્રકટ થઈ છે તેમાં અંતે આપવામાં આવેલ છે. અને ગુજરાતી અનુવાદ પંડિત લાલને કર્યો છે તે પ્રસિદ્ધ થયો છે. છતાં આનો પ્રચાર જ્ઞાનસાર તથા અધ્યાત્મસાર જેવો નથી. આના પ્રારંભના શ્લોકો ચૈત્યવંદનમાં પણ બોલી શકાય તેમ છે. અને અર્થવિચાર કરવાથી લાભ થાય તેમ
૪૮
બ્રુતજલધિ પ્રવેશે નાવા.