________________
ચર્ચાયો છે. સંયતને અશુદ્ધ દાન દેવાથી શુભ આયુષ્યનો દીર્ઘ બંધ! એ વિચાર સૂક્ષ્મબુદ્ધિ ગીતાર્થગમ્ય છે. પાત્ર-પરીક્ષા કરવાનુ બહુ કડક શબ્દોમાં કહ્યું છે. અને છેલ્લે એકત્રીસમા શ્લોકની વૃત્તિમાં ખૂબ જ ગણત્રીના શબ્દોમાં તેઓએ એક નવ્ય ન્યાયના અભ્યાસીઓની પરીક્ષા થાય તેવા વિષયને ચર્ચો છે, મૂળ તો તેમની સામે ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજરચિત સર્વજ્ઞશતકનો વિવાદાસ્પદ પ્રશ્ન છે. અને તેનો તર્કસંગત પ્રમાણપુરસ્કર ઉત્તર આપ્યો છે. બુદ્ધિનો વ્યાયામ કરવો ગમે તેવો એ વિષય છે. અને એ વિષય તેમણે સહજ સરળ રીતે ધર્મપરીક્ષા નામના ગ્રન્થમાં લખેલ છે. વિષય સૂક્ષ્મ છે. પણ બહુ મહત્ત્વનો છે. ઉપ૨ ઉપ૨થી જે જણાય તે અલગ છે. અને વાસ્તવિકતા અલગ છે. વાત એ છે કે, સૂત્રોક્તવિધિથી યુક્ત અધ્યાત્મ વિશુદ્ધિવાળી વ્યક્તિ યતનાપૂર્વક પ્રવૃત્તિ કરતી હોય એ દરમ્યાન જે વિરાધના થાય - થઈ જાય તો તે નિર્જરાનું કારણ બને. આ વાતને નવ્ય ન્યાયની શૈલી વાપરીને સરસ રીતે રજૂ કરી છે. અને ઉપા. શ્રી ધર્મસાગરજીના મતનુ યોગ્ય ખંડન કર્યું છે. પહેલી બત્રીસી સિવાય નવ્ય ન્યાયની શૈલી વાપરી છે, તેઓશ્રીની સ્યાદ્વાદ કલ્પલતા ને સૌથી વધુ યાદ કરાવે |૫૧ તેવી પંક્તિઓ આ પહેલી બત્રીસીમાં છે. બીજી બત્રીસીમાં દેશના સંબંધનું વિવરણ છે,
દ્વાત્રિશદ્દ્વાત્રિશિકા
卍