Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 88
________________ હોય. એ ચારિત્ર ન મળે ત્યાં સુધી જે રીતે બ્રાહ્મણ ઘેબરની ઇચ્છા રાખે, પણ ન મળે ત્યાં સુધી જે રીતે પૂરી વગેરેની ભૂખ દૂર કરે, પણ ઇચ્છા તો એ જ રાખે. વળી ગુરુદેવાદિની વૈયાવચ્ચ પણ બહુમાનપૂર્વક કરે. સ્વશક્તિને ગોપવ્યા વનિ કરે, ઍન્થિની નજીક આવેલામાં પહેલું ચિન્હ જણાય. ગ્રંથિ ઓળગતા જીવમાં બીજું લક્ષણ અને ગ્રંથિ ભેદાઈ ગયા પછી ત્રીજું લક્ષણ પ્રકટ જણાય છે. બોધિસત્ત્વનું લક્ષણ અન્ય ધર્મમાં જે કહ્યું છે, તે પણ અહીં સમ્યગદષ્ટિના લક્ષણમાં ઘટે છે. સમ્યગદષ્ટિ જીવનો સાંસારિક વ્યવહાર-તપાવેલા લોઢાના પતરા ઉપર ચાલવા જેવો કમને અને જરૂર હોય તેટલો જ કરવાની વૃત્તિવાળો હોય છે, તેવો વ્યવહાર સમ્યગુદૃષ્ટિ જીવનો હોય છે. બોધિસત્ત્વની વ્યાખ્યામાં એ જણાવ્યું છે કે, એ પરાર્થરસિક હોય, બુદ્ધિમાન હોય, કલ્યાણકારી માર્ગના યાત્રિક હોય અને ગુણરાગી હોય. એ બધું અહીં સમ્યત્વત્ત્વયુક્ત જીવમાં પણ બરાબર ઘટે છે. અર્થથી પણ બોધિસત્ત્વ શબ્દ આ સમ્યગુદર્શન શબ્દથી અભિન્ન છે. બોધિપ્રધાન જે સત્ત્વ, અથવા સદબોધિ જે આપણે ત્યાં વરબોધિ શબ્દથી એ પ્રસિદ્ધ છે જ. તીર્થકરોના સમ્યકત્વને વરબોધિ કહેવાય છે. તે પછી વેદાંત દર્શન કથિત લક્ષણ કેવી રીતે દોષયુક્ત છે તે દર્શાવ્યું છે. વિસ્તારથી યુક્તિ પૂર્વક ખંડન ક્યું છે. વેદનું પ્રામાણ્ય કેવી રીતે પ્રમાણભૂત નથી તે દર્શાવ્યું છે. મિથ્યાદષ્ટિએ ગ્રહણ કરેલું સમ્યકુશ્રુત પણ મિથ્યાશ્રુત છે, જ્યારે સમ્યદૃષ્ટિએ ગ્રહણ કરેલું મિથ્યાશ્રુત પણ સમ્યકશ્રુત છે. સિદ્ધાંતોપજીવીપણું અને યુકયુપજીવીપણું બન્ને સાપેક્ષ છે, હેતવાદનું હેતુવાદમાં સ્થાપન કરે, સિદ્ધાંતનું સિદ્ધાંતમાં સ્થાપન કરે એ માર્ગ છે. વિપરીતતા મિથ્યાત્વ છે. આ સમ્યદૃષ્ટિનું નિરૂપણ કર્યા પછી તેને ટકાવનાર, તેનો નિર્વાહ કરનાર ઈશાનુગ્રનો વિચાર ૧૬મી બત્રીશીમાં દર્શાવ્યો છે. બગીથી ૧૩-૧૪-૧૫

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106