________________
ભવાભિનંદીપણાનાં લક્ષણો જાય, તો પછી ધીરે ધીરે અજવાળિયા પક્ષના ચન્દ્રની જેમ ગુણો વૃદ્ધિને પામે છે. ઔદાર્યદાક્ષિણ્ય વગેરે એ ગુણોની હાજરી અપુનબંધકપણાને સૂચવે છે. અપુનબંધકપણાનાં લક્ષણો બીજા ગ્રંથમાં પ્રસિદ્ધ છે. પાપ તીવ્રભાવે ન કરે, ભવનો રાગ ન ધારે (?) અને જે જે કાળ-સ્થળે જે જે રુચિત હોય તે સેવે આ લક્ષણ છે. કર્મનો ભાર હળવો ન થાય ત્યાં સુધી પાપ પ્રત્યેની તીવ્રતા ઘટતી નથી. પૂર્વ સેવાની જે વાત આગળ કરી આવ્યા, તે વાત આ અપુનબંધકપણાને અવસ્થાવાળા જીવને અંગે જ ઘટે છે. અપુનબંધકપણાનો બીજો એક શબ્દાર્થ એ છે કે, આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ જે ન પાડે, તેવી એક અવસ્થા. વિશેષ દુઃખથી ભરેલા આ અનાદિ સંસારથી આપણો વિયોગ ક્યારે થશે, એવી વિચારણા કયારેક તેને આવે, અને જો તે ભિન્ન ગ્રન્થિ હોય, અર્થાત તે જીવનો ગ્રંથિભેદ થઈ ગયો હોય, તો તેની અવસ્થા મોક્ષમાં ચિત્ત અને સંસારમાં શરીર જેવી હોય છે. એવો સમ્યકદૃષ્ટિ જીવ સંસારનાં કાર્યો કરે, તો પણ તેમાં ન લેપાય કારણ કે નિર્ધ્વસ પરિણામ તેના હોતા નથી. તેનો રસ -આસક્તિ સંસારના પદાર્થમાં નથી રહેતા બલ્ક તેને શાસ્ત્ર શ્રવણની તીવ્ર ઇચ્છા રહે છે અને તેના અનુસાર તે શુદ્ધ તદનું અનુષ્ઠાન. સદનુષ્ઠાન રાગથી તાત્વિક દેવ ગુરુની પૂજા આદિ આચાર પ્રત્યે બહુમાન વગેરે. તથા ધાર્મિક કાલે કરવાના અનુષ્ઠાન કરવાના-તે તદેહતુ. વિષ અનુષ્ઠાન એ વિશિષ્ઠ લબ્ધિકીર્તિ વગેરેની સ્પૃહાથી થાય તે ગરલ-એ એક જાતનું ઝેર જ છે. પણ તે કાળા નીરે મારે છે. એટલે દિવ્યભવ-દેવ લોકને માટે જે અનુષ્ઠાન કરવા. તે ગરલ અનનુષ્ઠાન કહેવાય છે. અનનુષ્ઠાનનો અર્થ થાય છે કે એનું ચિત્ત અન્યત્ર ભમતું હોય તેવી જે ક્રિયા તેઅનનુષ્ઠાન કહેવાય છે. તદહેતું અનુષ્ઠાન ચરમાવર્ત કાળમાં આવેલા જીવને પ્રાયઃ હોઈ શકે છે. મુફ્તદૂષથી જ અનુષ્ઠાનનો આરંભ થાય છે. મુક્તદ્વેષનું બીજ ગુણરાગ છે. ગુણરાગ બઝીણી ૧૩-૧૪-૧૫