Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 72
________________ તે દર્શાવ્યું છે. અર્થાત્ ધર્મમાં કોઈ પણ રીતે માંસને ભક્ષ્ય ન કહી શકાય. વર્તમાન કાળમાં જ્યારે માછલી-ઠંડાં અને માંસના ભક્ષણનો પ્રચાર સરિયામ વધી રહ્યો છે, ત્યારે આપણને એક ચિંતા થઈ આવે છે કે આજના વિકૃત-કુત્સિત અનાજ, દવા અને કુમિશ્રિત ખાદ્યપદાર્થોથી બચવું કેટલું કપરું છે. બીજી બાજુ જો તે માટેની સાવચેતી કે પૂર્ણ સાવધાની ન રાખવામાં આવે તો આપણી મતિની સાત્ત્વિકતા જે રહીસહી બચી છે, તે પણ નષ્ટપ્રાય થઈ જાય અને જો એ રીતે બુદ્ધિ જ વિપરીત બની જાય તો વિનાશ નજીક સરકતો આવે. તેથી હવે તો ભક્ષ્યાભક્ષ્યમાં અતિશય જાગૃતિ આણવી પડે તેવો કાળ આવી લાગ્યો છે. પછી મદ્યત્યાગની વાત અહીં નિરૂપી છે. પહેલાં તો શાસ્ત્રપ્રમાણથી આ વાત સાબિત કરી છે, પછી તેમાં જ વ્યવહારથી પણ કેવા અને કેટલા દોષો આવે, તે બતાવ્યું છે. શ્રીનો નાશ, ડ્રી-લજ્જાનો નાશ. આ ભવમાં નિરંતર જીવોત્પત્તિવાળા આ પીણાંને પીવાથી ભવાંતરમાં દુર્ગતિનો ગેરલાભ વર્ણવ્યો છે. પછી ગમ્યાગમ્યની વાત લખી છે, સાત શ્લોકમાં મૈથુનની હેયતા વર્ણવી છે, આમાં પણ તેમનું લક્ષ્ય સ્થાન પરદર્શનોની માન્યતા છે. ૬૭ જેઓ જાણે-અજાણે પણ ‘ઞપુત્રસ્ય તિર્નાસ્તિ’ વગેરે સિદ્ધાંતને આગળ કરે છે અથવા તો વામમાર્ગીઓ આને ધર્મ તરીકે ઠરાવે છે, તેની સામે તેમનો આક્રોશ છે. તેમને તેમના જ ગ્રન્થોના આધાર આપીને તેની હેયતા દર્શાવી છે. પછી તપની ઉપાદેયતા બતાવી છે. બે શ્લોકમાં તપ જરૂરી છે, ‘તપમાં તો આર્તધ્યાન થાય, તપનું અજીર્ણ ક્રોધ છે, માટે તપ ન ક૨વો' એવું જે કહેતા હોય કિંવા માનતા હોય, તેના માટે સારો ઉત્તર અહીં આપ્યો છે. તપથી વિશિષ્ટ ક્ષયોપશમ ખીલે છે. જો તપનું અજીર્ણ ક્રોધ છે એમ કહો છો, તો જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે. તો જ્ઞાન પણ તપની જેમ અનુપાદેય થઈ જશે ? ના. તેમ નથી. વિવેકીને જ્ઞાન અહંનું કારણ ન બને. 租 ઘર્મવ્યવસ્થા બગીથી

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106