________________
બત્રીશી ૭મી ધર્મવ્યવસ્થા બત્રીશી
સાતમી બત્રીશીમાં ધર્મની વ્યવસ્થામાં પાયાનાં ત્રણ તત્ત્વોની વિચારણા કરી છે :
૧. ભક્ષ્યાભક્ષ્ય વિવેક. ૨. ગમ્યાગમ્ય વિવેક. અને ૩. તપોદયા વિવેક, ગ્રન્થકારની શૈલી પ્રૌઢ, પરિપકવ અને પરિપૂર્ણ છે. પહેલા શ્લોકમાં જ તેઓએ બીજનિક્ષેપ કર્યો છે અને તે રીતે જ સમગ્ર બત્રીશ શ્લોકમાં તેઓએ આ ત્રણે બાબતોને સાંગોપાંગ નિરૂપી છે.
પહેલી વાત ભક્ષ્યાભક્ષ્ય વિવેકની છે. અહીં ભક્ષ્યાભક્ષ્ય એ આપણે ત્યાં જે અર્થમાં પ્રસિદ્ધ છે, તેનાથી એ જુદી દૃષ્ટિ છે. અહીં તેમાં માંસ-મદ્ય-એ બે અંગે વિચારણા કરી છે. માંસ અભક્ષ્ય છે, જીવ સંસક્ત હોવાથી. માંસની પેશીઓમાં નિરન્તર નિગોદના જીવોની ઉત્પત્તિ-વિનાશનો ક્રમ ચાલ્યા કરે છે માટે નિન્દ કહેવાય છે. અહીં છેદ ગ્રન્થોની પણ અતિસૂક્ષ્મ ને ભગવદ્ બહુમાન પક્ષપાતી બુદ્ધિથી ગમ્ય એવી કેટલીક વાતો આલેખી છે. ઇતર દર્શનોમાં
પણ આ માંસભક્ષણને નિષિદ્ધ ગણાવાયું છે, એમ કહીને મનુસ્મૃતિમાં
જે આવે છે તે, માંસ શબ્દની વ્યુત્પત્તિ માં એટલે મને, સ એટલે તે અર્થાત જે મને અહીં ખાય છે, તેને હું ખાઇશ. આ બાબતમાં
卍
જ સોળ શ્લોકમાં માંસભક્ષણ તે તે ભિન્ન ભિન્ન રીતે અભક્ષ્ય છે, શ્રુતજલઘિ પ્રવેશે નાવા
૬૬