Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ સીધી રીતે કે આડકતરી રીતે માન્ય કરે છે. એ વાતને નાનેાાં પ્રતિક્ષિપેત ’ એ પદનો વારંવાર પ્રયોગ કરીને છએ દર્શન કેવી રીતે સ્યાદ્વાદને સ્વીકારે છે, તે રજૂ કર્યું છે. આ વાતને મુક્ત કલમે સમજાવીને આવા વિભિન્ન નયોના પ્રરૂપક શાસ્ત્રો વિષે પણ મધ્યસ્થ દૃષ્ટિ કેળવવાનું કહીને અને એકેક નયોમાંથી એકેક દર્શન કેવી રીતે જન્મે છે, તે તરફ ઇશારો કરીને તે ત્રણ પ્રકારના જ્ઞાનનું નિરૂપણ છે. તે ત્રણ પ્રકાર એટલેકે શ્રુત, ચિન્તા, અને ભાવના. આ ત્રણે ઉત્તરોત્તર મહત્ત્વનાં છે. તે વાત તે ત્રણેનાં લક્ષણો બતાવવા સાથે જણાવી છે. જોકે આ ત્રણનું સ્વરૂપ પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજે ષોડશક પ્રકરણમાં દર્શાવ્યું છે છતાં અહીં અલ્પ શબ્દમાં યાદગાર લક્ષણો આપ્યાં છે. માધ્યસ્થ સહિત જ્ઞાનનો મહિમા ગાઈને છેલ્લે ચિલાતી પુત્રનું ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ પદોના ચિંતન દ્વારા કેવું આત્મકલ્યાણ થયું તે જણાવ્યું છે. આમ બધાં શાસ્ત્રોને નિરૂપીને એ સર્વનો સમાવેશ જેમાં થાય છે. તે અને સર્વ શાસ્ત્રો જેનાં અંશભૂત છે તે સ્યાદ્વાદ અનેકાન્તનો પ્રભાવ વર્ણવ્યો છે, અને તેની સફળતા સમાધિભાવની પ્રાપ્તિમાં છે. તેવું કથન કરીને પ્રથમ અધિકારના ૭૭ શ્લોક પૂર્ણ થાય છે. બીજો અધિકાર છે જ્ઞાનયોગ શુદ્ધિ. જ્ઞાનયોગ એ યોગાધિરાજ છે. જ્ઞાનયોગ શબ્દમાં તિરોહિત છુપાયેલા ભાવને પ્રકટ કરીને જાણવો હોય તો આગળ આત્મ શબ્દ જોડવાથી તે સ્પષ્ટ થઇ જશે. જ્ઞાનતિ એ કેવી દેવદુર્લભ તપઃસાધ્ય અને યોગસિદ્ધ પુરુષોને પણ સ્પૃહણીય વસ્તુ છે, તે બતાવ્યું છે. સુખની બહુ માર્મિક વ્યાખ્યા અહીં મળે છે. ‘સુવુંસ્વરૂપ વિશ્રાન્તિઃ' સ્વ-રૂપમાં સ્થિર રહેવું તે સુખ અને તે પછી સ્વવશ તે સુખ, પરવશ પુદ્ગલવશ તે દુઃખ એમ કહ્યું છે. વળી ઉત્તમ જ્ઞાન કયું? તે માટે ભેદજ્ઞાન તે ઉત્તમ જ્ઞાન. ભેદ-જ્ઞાન પણ કોનાથી ભેદ! પુદ્ગલ અઘ્યાત્મોપનિષદ્ ૨૧ R

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106