Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 46
________________ હવે એ યોગના પ્રકાર ત્રણ : કર્મયોગ, જ્ઞાનયોગ અને ધ્યાનયોગ. અને તેના પરિણામે મળતો મોક્ષયોગ. આ આઠ શ્લોકમાં બીજ માત્ર રીતે વર્તમાનકાળમાં ફલીફૂલી ને પથરાયેલી યોગ વિષયને લાગતી-વળગતી તમામ બાબતો અહીં નિહિત છે. યોગ પછી છે અઠ્ઠાવીસમું નિયાગ અષ્ટક. યોગ એટલે યજ્ઞ-બ્રહ્મયજ્ઞ અહીં ઈષ્ટ છે. સાવદ્ય યજ્ઞની વાત તો આવકાર્ય નથી જ. આખું અષ્ટક એક સાથે વાંચતાં કોઈ વેદની ઋચાઓ જેવો ધ્વનિ કર્ણપટને સ્પર્શી છે. ગૃહસ્થને આ એટલે વીતરાગની પૂજાનો અધિકાર છે. તો સાધુઓને ભાવપૂજાનો અધિકાર છે. અહીં સ્નાનથી લઈ ઘટવાદન સુધી પૂજાની સામગ્રીમાં ભાવ પૂરવાની વાત ભરી છે. તેમાં એક વાત વર્તમાનકાળે બહુ વિચારવા જોગ છે. અંગપૂજા થયા બાદ અંગપૂજામાં અષ્ટમંગલ આલેખવાની વાત છે. આજકાલ જિનમંદિરોમાં અષ્ટમંગલની પાટલીની પૂજા થાય છે. આ અંગે કેમ કોઈ સમજાવતું નથી કે – પછી સમજીને જ કોઇ આ સમજતું નથી ! દ્રવ્ય પૂજા એટલે ભેદોપાસના અને ભાવપૂજા એટલે અભેદોપાસના. કેટલું સુંદર પૃથક્કરણ. અભેદ ઉપાસના કરનાર ધ્યાન ધરે. ધ્યાનનો વિષય લખતાં તેમણે રૂઢ અર્થના ધર્માદિ અને . ૪૧ આર્તાદિ બંને દ્વિકની વાત નથી કરી. સામાન્ય રીતે આજે પ્રસિદ્ધ છે તે જ ધ્યાનની વાત છે. ધ્યાન ધરનારમાં એક પ્રકારની યોગ્યતા અપેક્ષિત છે. તે જ જિતેન્દ્રિય ધીર, પ્રશાંત અને સ્થિર હોવો જોઈએ તો તે ધ્યાન, ધારણાનો હેતુ બની શકે અને પછી સમાધિ મેળવી શકે. પરંપરાએ પણ સમાધિ મેળવી આપનાર ધ્યાનને તપ કહેવાશે. તે તપ બાહ્ય અને આંતર એમ બે ભેદ. આ તપમાં પાછા સામે પૂરે તરવાની વાત આવે છે. આ રીતે એકત્રીશ અષ્ટક સુધી આ વિષયો વર્ણવીને અંતે સર્વ નયનો આશ્રય કરનાર સાદ્વાદ તત્ત્વને પામી શકે છે, તે જણાવ્યું છે જ્ઞાનનય કે ક્રિયાનય એકબીજા વિના જ્ઞાનસાર રસાસ્વાદ રૂ

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106