Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ ૧૮ (2) અધ્યાત્મોપનિષદ્ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજશ્રી યશોવિજયજી મહારાજનો અધ્યાત્મસાર ગ્રંથ અધ્યાત્મરસિક સાહિત્યપ્રિય વિદ્વાનને આનંદ આપે તેવો ગ્રંથ છે, તે આપણે જોયું. જ્યારે આ ગ્રન્થ માટે વાચકને વધુ સજ્જ હોવું જરૂરી છે. સ્વ-પર દર્શનનો અભ્યાસ કર્યો હોય, તેના મુખ્ય સિદ્ધાંતોનું પરિશીલન કર્યું હોય તો જ આ ગ્રંથમાં ગતિ થઈ શકે. સ્વદર્શનમાં સાત નયોનું, ચાર નિક્ષેપાનું પરિપક્વ જ્ઞાન હોય, અને પરદર્શનમાં સાંખ્યદર્શન, બૌદ્ધદર્શન, વૈશેષિકદર્શન, મીમાંસાદર્શન, વેદાન્તદર્શન, અને ચાર્વાક આ છ દાર્શનિક પરંપરાથી ચિર-પરિચિત થયેલ હોય તે વિદ્વાન જ આ ગ્રંથના મર્મને અને સ્વાદને પામી શકે. અધિકારી શાસ્ત્રકાર મહર્ષિની કલમ કેવી હોય? તેનું એક સુંદર ઉદાહરણ આ ગ્રંથ પૂરું પાડે છે. આ ગ્રંથ ચાર અધિકારમાં રચાયેલો છે. (૧) શાસ્ત્રયોગ શુદ્ધિ અધિકાર (૨) જ્ઞાનયોગ શુદ્ધિ અધિકાર (૩) ક્રિયાયોગ શુદ્ધિ અધિકાર (૪) સામ્યયોગ શુદ્ધિ અધિકાર. આ ચારે અધિકારમાં અનુક્રમે ૭૭, ૬૫, ૪૪, ૨૩ શ્લોક છે. કુલ ૨૦૯ શ્લોક છે. ૨૦૯ એ શ્લોકપ્રમાણ બહુ મોટું ન કહેવાય. 是 શ્રુતજલધિ પ્રવેશે નાવા

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106