Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ 卍 થોડા શબ્દોમાં ઘણી ગંભીર વાતો આમાં લખી છે. એ સૂત્રશૈલીએ લખાયેલા શબ્દોના અર્થને સમજવા માટે તો અનેક શાસ્ત્રવાચનથી જેની બુદ્ધિ પરિકર્મિત થઈ હોય તે જ સાચા અર્થને પામી શકે. ઉદાહરણ માટે એક સ્થળ જોઈએ. પહેલાં પ્રબંધના બીજા અધ્યાત્મ સ્વરૂપાધિકારમાં ‘ઓગણીસમા શ્લોકમાં ‘સિધ્ધસિદ્ધિ પરાહતઃ' એ પદ ગ્રન્થિ સ્થળ છે. અહીં એ પ્રકરણ ચાલે છે કે જેને સંસા૨ નિર્ગુણ લાગ્યો હોય અને મહાવ્રત પાળવામાં જે અડગ હોય તે દીક્ષા માટે યોગ્ય ગણાય. પરંતુ એના આત્મામાં છઠ્ઠા ગુણસ્થાનકનો ભાવ આવ્યો છે કે નહીં તે જોવાનું નથી. કેમ નહીં ! એના ઉત્તરમાં 'नो चेद् भावापरिज्ञानाद् सिध्यसिद्धिपराहतः । दीक्षा दानेन भव्यानां तीर्थोच्छेदः प्रसज्यते ॥' ' એ શ્લોક કહ્યો છે આમાં સિધ્યસિદ્ધિ પરાહતઃ ' એ સામાસિક પદનો અર્થ એ થાય છે કે ‘નહીંતર તો અંતરના પરિણામની ખબર નહીં પડવાથી સિદ્ધિ અને અસિદ્ધિથી પરાહત હોવાથી દીક્ષા નહીં આપવાને લઈને તીર્થના ઉચ્છેદનો પ્રસંગ આવે' આમાં ‘સિદ્ધિ અને અસિદ્ધિથી પરાહત હોવાથી’ એ દીક્ષા નહીં આપવામાં હેતુ છે. તાત્પર્ય એ છે કે અંતરમાં ગુણઠાણાના ભાવ હોય તો જ દીક્ષા આપવી એવો સામાનો મત હોય તો પછી દીક્ષા અપાશે જ નહીં. કેમ કે દીક્ષાનું દાન સિદ્ધિઅસિદ્ધિથી પરાહત છે અર્થાત્ જો છઠ્ઠા ગુણઠાણાના ભાવથી એ આત્મામાં દીક્ષાની સિદ્ધિ-પ્રાપ્તિ છે જ. તો હવે દીક્ષા આપવાથી કાંઇ વિશેષ નથી તેમ જો આત્મામાં છઠ્ઠા ગુણઠાણાના અભાવથી એ આત્મામાં દીક્ષાની અસિદ્ધિ-અપ્રાપ્તિ છે. અર્થાત્ ભાવ પ્રાપ્ત નથી થયા તો તમારા મત મુજબ દીક્ષા આપી શકાય નહીં, તેથી આપવી વ્યર્થ થાય એમ અંતરમાં છટ્ઠા ગુણઠાણાના પરિણામરૂપ ભાવની સિદ્ધિ હો કે અસિદ્ધિ – ઉભય દશામાં દીક્ષા આપવી નિરર્થક છે. તેથી તો જગતમાં શ્રુતજલધિ પ્રવેશે નાવા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106