Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિન્નઃ તેંત્ર ત્રણે વેદના મુખ્ય પ્રતિપાદન યોગ્ય વિષયરૂપ અને ખરી રીતે એક છતાં સત્ત્વગુણ, રજોગુણ અને તમેગુણયુકત (બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એવાં) ત્રણે સ્વરૂપેામાં તદ્દન અલગ અલગ સ્થપાયેલું અર્થાત પ્રગટ થયેલું તમારું જે ઐશ્વર્ય છે, તેના વિરોધ કરવા આક્ષેપ કરી કરીને આ લાકમાં કેટલાક જડબુદ્ધિવાળા મીમાંસકો વગેરે બકવાદ કરે છે; પરંતુ ત્રણે લાકમાં જેમનું કોઈ ઠેકાણે અને કોઈ કાળે કલ્યાણ થવાનું નથી એવા અભાગી પુરુષોને એવા આક્ષેપો ખરી રીતે મનેાહર ન હોવા છતાં મનોહર લાગે છે; જ્યારે કોઈ વસ્તુ રમણીય ન હોય, છતાં રમણીય લાગે ત્યારે એમ જાણવું કે, એના અભાગ્યની એ નિશાની છે. વેદની સઘળી શાખાઓમાં બ્રહ્મનાં બે લક્ષણાનું પ્રતિપાદન કરનારાં અનેક વાકયો છે. આ બે લક્ષણામાં એક તટસ્થ લક્ષણ અને બીજું સ્વરૂપ લક્ષણ છે. તેમાં તટસ્થ લક્ષણની વ્યાખ્યા એવી છે કે જે ધર્મ સર્વસામાન્ય ન હોય પણ અસાધારણ હોય અને કોઈ કોઈ વખતે ધર્મની સાથે રહેતો હોય, તે તે તટસ્થ લક્ષણ છે એમ જાણવું. જેમ કે છત્રચામરાદિ એ ચિહ્ન સર્વસાધારણ નથી; પરંતુ ખાસ પશિષ્ટ વ્યકિત સાથે એટલે કે રાજાની સાથે જ તેના સંબંધ હોય છે. વળી એ ચિહ્ન રાજાની સાથે રહેનારું છે, છતાં સર્વ કાળે રહેતું નથી. તેથી છત્રચામરાદિ ચિહ્ન રાજાનું તટસ્થ લક્ષણ કહેવાય છે, અને સ્વરૂપલક્ષણ ત વસ્તુની સાથે સર્વ કાળે રહેનારું હોય છે; જેમ કે ‘ચંદ્રના ઉજ્જવળ પ્રકાશ.' એમાં ઉજજવળ પ્રકાશ, એ ચંદ્રનું સ્વરૂપ લક્ષણ છે; તે કદી પણ ચંદ્રથી અલગ થતું નથી. એવી જ રીતે, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124