Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Хо Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિન્નઃ તેંત્ર પહેલાં હતો નહિ માટે અસત છે એમ માનેલું છે. આ અસત્કાર્યવાદ છે. વેદાંતમાં અસત્કાર્યવાદ નથી; તેમ જ સત્કાર્યવાદ પણ નથી; પરંતુ સત્કારણવાદ છે. એમાં કારણરૂપી બ્રહ્મ જ સત્ય છે; કાર્યરૂપી જગત છે, તે ઝાંઝવાના જળ જેવું ભ્રમમાત્ર છે; અને કારણ ઉપર જ માત્ર વિવર્તે છે. એવા એ વેદાંતીઓના સિદ્ધાંત છે. આ વેદાંતમત સિવાયના ઉપર જણાવેલા ત્રણે મતેમાં દૂતનો અંગીકાર કરેલા છે; માટે ઉપાધિયુકત અને સંકુચિત એવા સ્વરૂપના વર્ણન વડે ઈશ્વરની સ્તુતિ કરવી એ લજ્જાસ્પદ છે; છતાં તે રીતે હે પુરમથન ! હું તમારી સ્તુતિ કરતાં શરમાતા નથી; કારણ કે તમારું ઐશ્વર્ય જોઈ હું ચકિત થયા જેવો વિસ્મિત થયો છું; જેમ કોઈ મનુષ્ય અદ્ભુત ચમત્કાર જોઈ વિસ્મય પામે છે, ત્યારે દેહભાન પણ ભૂલી જાય છે તથા બીજા મનુષ્યો હાંસી કરશે, એવા તેને ખ્યાલ પણ રહેતો નથી, તેથી તે ગમે તેમ વર્તે છે; તેવી જ રીતે હું પણ (આને સ્તુતિ કરતાં આવડતી નથી એમ કહી લોકો મને હસશે, તે તરફ ધ્યાન ન આપતાં) તમારી સ્તુતિ કરવા તત્પર થયો છું; એનું કારણ માત્ર વાચાળપણું જ છે. આ વાચાળપશું ખરેખર નિર્લજજ છે; લજ્જાશીલ મનુષ્યને પણ તે નિર્લજ્જ બનાવી દે છે. આ પ્રમાણે સર્વ પ્રકારના વાદીઓના મતો ભ્રમમૂલક છે, એમ કહીને માત્ર અદ્ભુત મત જ ભ્રમવશ નથી એમ સૂચિત કર્યું છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124