Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 106
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિમ્નઃ સ્તાત્ર જે પુરુષ શુદ્ધ ચિત્તથી અને પરમ ભકિતથી મહાદેવના આ પવિત્ર સ્તોત્રના હમેશ પાઠ કરે છે, તે શિવલાકમાં શિવજી જેવા અને આ લોકમાં પુષ્કળ ધન તથા આયુષ્યવાળા, પુત્રવાન અને કીર્તિમાન થાય છે. ૩૪ પરમ ભાવ અને શુદ્ધ ચિત્ત, આ બે પદાથી ભકતની અચળ ભકિત તથા ચિત્તની શુદ્ધતા બતાવેલી છે. ચિત્તશુદ્ધિ માટે શમ, દમ વગેરે ષસંપત્તિની આવશ્યકતા છે અને તે ભકિતના પાયારૂપ મનાયેલાં છે. જો મનની ચંચળતા હોય, તે ભાવભરેલી ભકિત બની શકે નહિ, એ નિર્વિવાદ છે, માટે મનુષ્ય પોતાના મનને પ્રથમ વશ કરવું જરૂરી છે. महेशामापरो देवी महिम्नो नापरा स्तुतिः । अघोरान्नापरो मंत्रो नास्ति तवं गुरोः परम् ।। ३५ ।। મહેશ્વરથી કોષ્ઠ બીજા કોઈ દેવ નથી અને મહિમ્નથી શ્રેષ્ઠ બીજી કોઈ સ્તુતિ નથી; તેમ જ અઘાર મંત્રાથી કોણ બીજો કોઈ મંત્ર નથી અને ગુરુથી શ્રેષ્ઠ બીજાં કોઈ તત્ત્વ નથી. ૩૫ શંભુ, શંકર, ઈશ, પશુપતિ, શિવ, શૈલી, મહેશ્વર, એવાં અડતાલીસ મહાદેવનાં નામેા અમરકોશમાં આપેલાં છે અને તે સિવાય ‘શિવસહસ્રનામ 'માં હજાર નામે આપેલાં છે. આ દરેક નામમાં મહિમા વસેલા છે; તે ઉપરથી સમજાશે કે સર્વ દેશમાં મહાદેવનું સ્થાન ઊંચું છે. મહાદેવથી શ્રેષ્ઠ બીજો કોઈ દેવ ની, તેમ જ મહિમાથી એટલે શિવમહિમા અર્થાત્ શિવમહિમ્ન: સ્તોત્રથી ચડિયાતું બીજું કોઈ સ્તોત્ર નથી. અઘાર મંત્રથી વધી જાય એવા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124