________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિન્નઃ સ્તાત્ર
(બ્રહ્મચર્યાદિ અનેક પ્રકારની ) દીક્ષાઓ, ( ગાય, પૃથ્વી, સાનું વગેરેનાં ) દાન, (ચાંદ્રાયણાદિ ) તપ, (કાશી, પુષ્કળ વગેરે) તીર્થો, ( શાસ્ત્રીય) જ્ઞાન અને યજ્ઞયાગાદિ ક્રિયાઓ; એમાંનું કોઈ પણ મહિમ્ન: સ્તોત્રની (તેના પાઠની) સેાળમી કળાને પહોંચવાને યોગ્ય પણ નથી. ૩૬
દીક્ષા, દાન, તપ, તીર્થ અને જ્ઞાન તથા કર્મકાંડ આ બધુંયે હોય; પણ પારમાર્થિક જ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાન વગર એ બધું ભારરૂપ જ છે એમ કહેવાનો અહીં ઉપર લખેલા પ્રકારોમાં જ્ઞાન શબ્દના નિર્દેશ છે, તે જ્ઞાન માત્ર શાસ્ત્રીય જ્ઞાન જ સમજવું; નહિ કે પારમાર્થિક જ્ઞાન. જો પારમાર્થિક જ્ઞાન હાય તો એ બધાંની કશી જ જરૂર નથી. આ મહિમ્ન: સ્તોત્રના પાઠથી પારમાર્થિક જ્ઞાન પ્રાપ્ત થાય છે, એમ પણ અહીં સમજી લેવાનું છે; કેમ કે એ બધું વેદાંતમય છે. મહિમ્ન: સ્તોત્રનું પરિપૂર્ણ જ્ઞાન થાય, તો આત્મજ્ઞાનમાં જ પરિણામ પામે છે. અસ્તુ !
આ અનુષ્ટુપ વૃત્ત છે.
સ્તાત્રકારના નામનિર્દેશ कुसुमदशननामा सर्वगंधर्वराजः शिशुशशिधरमौलेर्देवदेवस्य दासः । स खलु निजमहिनो भ्रष्ट एवास्य रोषात् स्तवनमिदमकार्षीर्दिव्यदिव्यं महिम्नः || ३७ ॥
For Private and Personal Use Only