Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 105
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેત્રપાઠ-ફળશ્રુતિ ૧૦૩ - ~- ~ ~ ~-- ~ - ~ સમગ્ર(ગંધર્વના) સમુદાયમાં શ્રેષ્ઠ પુષ્પદંત નામના ગંધર્વ અસુરો, સુરો તથા મુનીદ્રોએ પૂજેલા અને જેમને ગુણમહિમા (વેદશાસ્ત્રોમાં) ગૂંથાયો છે, એવા નિર્ગુણ પરમેશ્વર શ્રી ચંદ્રશેખર શંકર ભગવાનનું આ સુંદર સ્તોત્ર મોટા છંદો વડે રચ્યું છે. ૩૩ “મમુરમુરમુનીન્દ્ર- આ પદમાં પ્રથમ અસુરોને નિર્દેશ કર્યો છે, તે સહેતુક જણાય છે. સુર કરતાં અસુરોએ તે ભેળાનાથ ભગવાન શંકરને પ્રસન્ન કરી વરદાનો લીધેલાં વધુ સાંભળ્યાં છે; કેમ કે અસુરો જોકે આસુરી સંપત્તિવાળા છે, છતાં મનનો સંયમ કરી, ભારે તપ કરે તે કંઈ સહેલી વાત નથી, તેમાં પણ તેમની અચળ ભકિત દેખાઈ આવે છે, તો પછી એવી અચળ ભકિતથી ભોળાનાથ ભેળવાય, એમાં શી નવાઈ? “મૌસે” પદ ઉપરથી પોતે મહાદેવ કે જે ચંદ્રને ધારણ કરી રહ્યા છે, તે તાપની નિવૃત્તિ અને શીતળતાની પ્રાપ્તિ માટે જ છે, એમ સમજાઈ આવે છે. જે પોતે શીતળતા અને સુખશાંતિ ભેગવી રહ્યા છે, તે પિતાના ભકતોને સુખશાંતિ આપે અને ત્રણ તાપની નિવૃત્તિ કરવા શીતળતાનું સુખ આપે, એ સ્વાભાવિક છે. સચ્ચિદાનંદ પરમાત્મા પોતે સુખરૂપ હોઈ સર્વમાં સુખમય હોય એમાં પણ શી નવાઈ ? તેંત્રપાઠ-ફળશ્રુતિ अहरहरनवद्यं धूर्जटेः स्तोत्रमेतत् पठति परमभक्त्या शुद्धचित्तः पुमान् यः। स भवति शिवलोके रुद्रतुल्यम्तथास्त्र प्रचुरतरधनायुःपुत्रवान्कीर्तिमांश्च ॥३४॥ થતા અને માં ભકતોને કરવા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124