Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્માની મર્યાદાનું રક્ષણ ૭૫ વિશ્વના અધિપતિ! તમે હાથમાં ધનુષ લઈ શિકારીની જેમ તેના ઉપર બાણ છોડયું, તે આદ્ર નક્ષત્રરૂપે હજી પણ આકાશમાં દેખાય છે, અને તમારા ભયથી આકાશમાં મૃગશીર્ષ નક્ષત્રરૂપે નાઠેલા બ્રહ્મદેવને તમે જે બાણ માર્યું હતું, તેથી તેમને અત્યંત પીડા થઈ હતી. તે હજીયે તમારાથી ભય પામે છે, અને તમારું બાણ પણ હજી સુધી તેમને છોડતું નથી, એમ અહીં વર્ણવેલું છે. આ સંબંધી પુરાણકથા નીચે મુજબ છે : એક વખત બ્રહ્માજી સંધ્યા નામની પોતાની પુત્રીનું સૌંદર્ય જોઈ કામવશ થયા. તેની સાથે કામક્રીડા કરવાની તેમને ઇચ્છા થઈ, ત્યારે પિતાજીને દુષ્ટ ભાવ પુત્રી સમજી ગઈ અને “આ મારો પિતા છે, છતાં આવું પાપકર્મ કરવા ઇચ્છા રાખે છે, એ યોગ્ય નથી’ એવા વિચારથી શરમાઈ તેણે પોતાનું શિયળ સાચવવા મૃગલીનું રૂપ લીધું ને તે નાસવા લાગી. કામાતુર બ્રહ્મદેવ પણ મૃગનું રૂપ લઈ તેણીની પાછળ દોડવા લાગ્યા, ત્યારે જગન્નિયંતા મહાદેવજીએ “આ પ્રજાપતિ ધર્મના પ્રવર્તક હોવા છતાં આવું નિધ કર્મ કરે છે માટે એમને શિક્ષા તો કરવી જ જોઈએ’ એમ વિચારી પોતાનું પિનાક ધનુષ ખેંચી બાણ છોડવું; એ જોઈ મૃગરૂપે રહેલા બ્રહ્મદેવ શરમાયા અને બાણ વાગવાથી જેવી પીડા થાય તેવી જ તેમને અતિશય પીડા થઈ. પછી બ્રહ્મદેવ આકાશમાં મૃગશીર્ષ નક્ષત્રરૂપે થયા અને શિવજીનું બાણ તેમની પાછળ આદ્રા નક્ષત્રરૂપે રહ્યું. આદ્ર અને મૃગશીર્ષ એ બંને નક્ષત્રો પાસે પાસે હોવાથી “અદ્યાપિ યતિ ન” એમ શ્લોકમાં કહેલું છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124