________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્માની મર્યાદાનું રક્ષણ
૭૫
વિશ્વના અધિપતિ! તમે હાથમાં ધનુષ લઈ શિકારીની જેમ તેના ઉપર બાણ છોડયું, તે આદ્ર નક્ષત્રરૂપે હજી પણ આકાશમાં દેખાય છે, અને તમારા ભયથી આકાશમાં મૃગશીર્ષ નક્ષત્રરૂપે નાઠેલા બ્રહ્મદેવને તમે જે બાણ માર્યું હતું, તેથી તેમને અત્યંત પીડા થઈ હતી. તે હજીયે તમારાથી ભય પામે છે, અને તમારું બાણ પણ હજી સુધી તેમને છોડતું નથી, એમ અહીં વર્ણવેલું છે. આ સંબંધી પુરાણકથા નીચે મુજબ છે :
એક વખત બ્રહ્માજી સંધ્યા નામની પોતાની પુત્રીનું સૌંદર્ય જોઈ કામવશ થયા. તેની સાથે કામક્રીડા કરવાની તેમને ઇચ્છા થઈ, ત્યારે પિતાજીને દુષ્ટ ભાવ પુત્રી સમજી ગઈ અને “આ મારો પિતા છે, છતાં આવું પાપકર્મ કરવા ઇચ્છા રાખે છે, એ યોગ્ય નથી’ એવા વિચારથી શરમાઈ તેણે પોતાનું શિયળ સાચવવા મૃગલીનું રૂપ લીધું ને તે નાસવા લાગી. કામાતુર બ્રહ્મદેવ પણ મૃગનું રૂપ લઈ તેણીની પાછળ દોડવા લાગ્યા, ત્યારે જગન્નિયંતા મહાદેવજીએ “આ પ્રજાપતિ ધર્મના પ્રવર્તક હોવા છતાં આવું નિધ કર્મ કરે છે માટે એમને શિક્ષા તો કરવી જ જોઈએ’ એમ વિચારી પોતાનું પિનાક ધનુષ ખેંચી બાણ છોડવું; એ જોઈ મૃગરૂપે રહેલા બ્રહ્મદેવ શરમાયા અને બાણ વાગવાથી જેવી પીડા થાય તેવી જ તેમને અતિશય પીડા થઈ. પછી બ્રહ્મદેવ આકાશમાં મૃગશીર્ષ નક્ષત્રરૂપે થયા અને શિવજીનું બાણ તેમની પાછળ આદ્રા નક્ષત્રરૂપે રહ્યું. આદ્ર અને મૃગશીર્ષ એ બંને નક્ષત્રો પાસે પાસે હોવાથી “અદ્યાપિ યતિ ન” એમ શ્લોકમાં કહેલું છે.
For Private and Personal Use Only