Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 94
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શિવમહિમ્ર સ્તોત્ર કાયા, વાચા અને મનથી હે પ્રિયરૂપ! આપને કેવળ નમસ્કાર જ કરું છું, એમ સૂચવે છે. હવે આ આઠ નામો વડે આઠ મૂર્તિઓનું પૂજન કરવાથી જે શાસ્ત્રફળ લખ્યું છે, તે બતાવીશું: મર્શ પ્રતિળિ છાશૈવ રેનિઃ | स्पष्टं मूर्तिभिरष्टाभिरष्टमूर्तिहरत्यसौ ॥ ગીતાના સાતમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ પરમાત્માએ જે પરા અને અપરા પ્રકૃતિ વર્ણવેલી છે, તેમાં અપરા પ્રકૃતિનાં આઠ રૂપ છે: તે “મુમિરોડનો વાયુ” એ શ્લોકમાં આઠેય સ્વરૂપ કહ્યાં છે, તે બધાં આઠ પ્રકારનાં જીવનાં જ દુ:ખે છે. એ પ્રસિદ્ધ છે. આ આઠે પ્રકારનાં દુ:ખને આઠ મૂર્તિવાળા આત્મરૂપ મહાદેવમાં અનુસંધાન કરવાથી તેમાંથી છુટકારો મેળવી શકાય છે. એટલે કે આત્મસાક્ષાત્કાર વડે આઠે પ્રકૃતિ દૂર થતાં તેમનાથી ઉત્પન્ન થનારું દુ:ખ નિવૃત્તિરૂપ ફળમાં પરિણમે છે; એવો અહીં ભાવ છે. એટલા માટે જ પૂર્વોકત નામો વડે તેમનું પૂજન કરવું જરૂરી છે. શિવને સર્વસ્વરૂપ ગણ નમસ્કાર પરમાત્માને મહિમા સમજવો અતિ કઠિન છે, એ બતાવવા અને પોતાની અનન્ય ભકિત જણાવવા વારંવાર કેવળ નમસ્કાર કરી ગંધર્વરાજ પુષ્પદંત અગમ્ય મહિમાવાળા ભગવાન શંકરની સ્તુતિ કરે છે: नमो नेदिष्ठाय प्रियदव दविष्ठाय च नमो नमः क्षोदिष्ठाय म्मरहर महिष्ठाय च नमः। સ. સા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124