________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શિવમહિમ્ર સ્તોત્ર
કાયા, વાચા અને મનથી હે પ્રિયરૂપ! આપને કેવળ નમસ્કાર જ કરું છું, એમ સૂચવે છે. હવે આ આઠ નામો વડે આઠ મૂર્તિઓનું પૂજન કરવાથી જે શાસ્ત્રફળ લખ્યું છે, તે બતાવીશું:
મર્શ પ્રતિળિ છાશૈવ રેનિઃ |
स्पष्टं मूर्तिभिरष्टाभिरष्टमूर्तिहरत्यसौ ॥
ગીતાના સાતમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ પરમાત્માએ જે પરા અને અપરા પ્રકૃતિ વર્ણવેલી છે, તેમાં અપરા પ્રકૃતિનાં આઠ રૂપ છે: તે “મુમિરોડનો વાયુ” એ શ્લોકમાં આઠેય સ્વરૂપ કહ્યાં છે, તે બધાં આઠ પ્રકારનાં જીવનાં જ દુ:ખે છે. એ પ્રસિદ્ધ છે. આ આઠે પ્રકારનાં દુ:ખને આઠ મૂર્તિવાળા આત્મરૂપ મહાદેવમાં અનુસંધાન કરવાથી તેમાંથી છુટકારો મેળવી શકાય છે. એટલે કે આત્મસાક્ષાત્કાર વડે આઠે પ્રકૃતિ દૂર થતાં તેમનાથી ઉત્પન્ન થનારું દુ:ખ નિવૃત્તિરૂપ ફળમાં પરિણમે છે; એવો અહીં ભાવ છે. એટલા માટે જ પૂર્વોકત નામો વડે તેમનું પૂજન કરવું જરૂરી છે.
શિવને સર્વસ્વરૂપ ગણ નમસ્કાર
પરમાત્માને મહિમા સમજવો અતિ કઠિન છે, એ બતાવવા અને પોતાની અનન્ય ભકિત જણાવવા વારંવાર કેવળ નમસ્કાર કરી ગંધર્વરાજ પુષ્પદંત અગમ્ય મહિમાવાળા ભગવાન શંકરની સ્તુતિ કરે છે: नमो नेदिष्ठाय प्रियदव दविष्ठाय च नमो नमः क्षोदिष्ठाय म्मरहर महिष्ठाय च नमः।
સ. સા.
For Private and Personal Use Only