________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવની અનેક મૂર્તિઓ
------------ -~ -- તે પછી તમારું ચંદ્ર, સૂર્ય વગેરે વિશેષ નામો વડે વર્ણન કરવું વ્યર્થ જ છે “ફન્દ્ર મિત્ર વારિ” ઇત્યાદિ કૃતિઓમાં એમ જ કહ્યું છે કે પરમેશ્વર એક જ છે, છતાં તેમને ઇન્દ્ર, મિત્ર ઇત્યાદિ અનેક નામો વડે બ્રાહ્મણે દર્શાવે છે પરંતુ સર્વ વસ્તુ તે જ છે, આ સૃષ્ટિમાં સત (પરબ્રહ્મ) વિના કોઈ વસ્તુ જ નથી અને એ સ૮૫ આત્મા તમે જ છો એ તર્ક વડે પણ અદ્વૈત સિદ્ધ થાય છે.
અહીં કોઈએ આવી શંકા ન કરવી કે “સર્વ જો બ્રહ્મરૂપ છે અને બ્રહ્મજ્ઞાન વડે જો મોક્ષ મળે છે, તે ઘટાદિ પદાર્થો પણ બ્રહ્મરૂપ હોવાથી તેમના જ્ઞાન વડે પણ મોક્ષ મળે.’ આના સમાધાનમાં સમજવું જોઈએ કે, બિંબભૂત સ્વરૂપજ્ઞાન વડે જ મોક્ષ થાય છે, પણ પ્રતિબિંબભૂત થતા વૈષયિક જ્ઞાન વડે મોક્ષ નથી. અસ્તુ! (આ વિષય કઠિન છે અને વિસ્તાર વધી જવાનો ભય છે; વળી સામાન્ય વાંચનાર સમજે પણ નહિ માટે અધિકારી જિજ્ઞાસુઓ સ્વામી મધુસૂદન સરસ્વતીકૃત મૂળ વ્યાખ્યાનમાં જોઈ લે.) સારાંશ કે, શુતિ-સ્મૃતિ અને અનુમાનાદિ પ્રમાણે વડે અમે તમારા સિવાય બીજી કોઈ વસ્તુ જાણતા જ નથી. ભલે! અજ્ઞાનીઓ તમારા સર્વાત્માણ માટે અને અદ્વિતીયપણા માટે કુતર્ક કરે! “વ” એમ બહુવચનને પ્રયોગ કરી શ્રી પુષ્પદંત ગંધર્વરાજે પોતાનું પ્રમાણકૌશલ્ય અને અનુભવજ્ઞાન સૂચિત કરી પોતાને ઉત્કર્ષ સાધ્યો છે.
For Private and Personal Use Only