________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામને નાશ
૫૫
નુકસાનકારક થાય એમાં કહેવું શું?
[ હવે શંકરે કામદેવને બાળીને ભસ્મ કર્યો તે સંબંધી પુરાણમાં જે કથા છે, તે આપણે જોઈએ. પૂર્વે બ્રહ્માજીના વરદાનથી છકી ગયેલો તારકાસુર દેવાદિને ઘણો ત્રાસ આપતો હતો. એક વખત બધા દેવો ભેગા મળી બ્રહ્માજી પાસે ગયા અને તારકાસુરનો નાશ થાય એવો ઉપાય બતાવવાને પ્રાર્થના કરી, ત્યારે બ્રહ્મા બોલ્યા: ‘જો મહાદેવ અને પાર્વતીને સંયોગ થાય, તો તેમનાથી ઉત્પન્ન થયેલો પુત્ર તારકાસુરનો નાશ કરી શકશે, માટે તેમનો સમાગમ થાય એવો કોઈ ઉપાય કરશે.’ એ ઉપરથી કામદેવને બોલાવી ઇન્દ્ર કહ્યું: “તમે હિમાલય ઉપર જ્યાં મહાદેવજી તપ કરે છે, ત્યાં જાઓ અને તેમને મોહિત કરી, તેમના તપનો ભંગ કરે; સાથે પાર્વતી પણ તપ કરી રહ્યાં છે, તેમને સંયોગ સધાય એવું કરો.” એટલે કામદેવ બોલ્યો : ઓહો! એમાં તે શી મોટી વાત છે? એક જ ક્ષણમાં હું તેમને જીતી લઈશ.’ એમ કહી તે રતિને સાથે લઈને હિમાલય ઉપર જ્યાં શિવજી તપ કરતા હતા ત્યાં ગયો. એ વેળા વસંત ઋતુએ વનને પ્રફુલ્લિત કરી દીધું. રતિએ પાર્વતીના સ્વરૂપમાં પ્રવેશ કર્યો અને શંકરની સમાધિ ભાંગવા કામદેવે બાણ તાકવું. શંકરની સમાધિમાં વિક્ષેપ થયો. પાર્વતીજી કામદેવની પાછળ ઊભાં હતાં. મહાદેવે નેત્ર ઉઘાડી જોયું તો કામદેવ આગળ જ ઊભો છે, ત્યારે તો તે ઘણા ગુસ્સે થયા; તેમના ત્રીજા નેત્રમાંથી અગ્નિ બહાર નીકળ્યો અને દેવકન્યાઓના નયનકમળની માળા વડે પૂજતો કામદેવ તરત જ બળીને ભસ્મ થઈ ગયો. કામદેવને ભસ્મ થયેલો જોઈ તેની પત્ની રતિ શેક કરવા લાગી.
For Private and Personal Use Only