________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
શ્રીશિવમહિન્નઃ સ્તાત્ર
*
"
ડવામાં આવે છે કે, આત્મા કોઈ પણ પ્રમાણ વડે જણાતો નથી; જેમ કે ( ૧ ) અરામસ્વર્શમ્ । આત્મા શબ્દસ્પર્શથી રહિત છે' એવું શ્રુતિવચન છે. તે ઉપરથી નક્કી થાય છે કે, ઇન્દ્રિય વડે આત્માનું ભાન થઈ શકતું નથી, જેથી પ્રત્યક્ષ પ્રમાણ આત્મજ્ઞાનમાં સહાયક થઈ શકતું નથી. (૨) અનુમાનમાં કંઈક ચિહ્ન કે નિશાની જોઈએ; પરંતુ ‘ નૈવ ચ તસ્ય છિન્નમ્। તેને કંઈ પણ લિંગ (જાણવામાં ઉપયોગી થાય એવી નિશાની ) નથી; એવું શ્વેતાશ્વતરોપનિષદનું કહેવું છે. જેથી આત્મા લિંગરહિત હાવાથી અનુમાનના વિષય થતો નથી. (૩) ‘ન તસમક્ષાવ્યધિ જ્જ દશ્યતે–તેના સમાન અને તેનાથી અધિક એવું બીજું કંઈ પણ દેખાતું નથી. એવું શ્રુતિવચન છે; તેથી પણ સિદ્ધ થાય છે કે, આત્મા હેતુ અને દૃષ્ટાંતથી પર છે. અને ઉપમા જ્ઞાન તો સાદૃશ્ય જ્ઞાનને આધીન છે. તેથી તે પણ આત્મજ્ઞાનમાં સહાયક થઈ શકે નહિ. (૪) આત્મા નામરૂપથી રહિત છે, એમ શ્રુતિ વર્ણવે છે. જેથી શબ્દપ્રમાણ પણ એમાં કામ આવે નહિ, હવે કોઈ શંકા લાવે છે, કે, તે ઔપનિષત્ પુત્ર પૃચ્છામિ ! હું તુ તે ઉપનિષદોમાં વર્ણવેલા પુરુષ વિષે પૂછું છું' એ પ્રમાણે શ્રુતિએ જ આત્માને ઉપનિષદ વડે જાણવા યોગ્ય કહેલા છે; તો પછી આત્મા શબ્દપ્રમાણ વડે ગમ્ય નથી એમ કહેવું યુકત નથી, તો તેના સમાધાનમાં જણાવવાનું કે, આત્મામાં શબ્દપ્રવૃત્તિ થવાને કંઈ કારણ નથી, તેથી તે શબ્દપ્રમાણનો વિષય થાય નહિ. યતો વારો નિવર્તન્તે' એ શ્રુતિવચનથી પણ સિદ્ધ થાય છે કે, વાણી એનું વર્ણન કરતાં થાકી જાય છે, તો વળી એ એમ કહેશે કે, અમે
For Private and Personal Use Only