________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિમ્નઃ સ્તાત્ર
૨૪
રચે છે? જગત શાનું બનેલું છે? માટી જેમ ઘડાનું ઉપાદાનકારણ છે, તેમ જગતનું ઉપાદાનકારણ શું છે તે કહો; કેમ કે ઘડો બનાવનાર કુંભાર પેાતાના હાથ વડે ચક્ર ફેરવે છે; તેમ જ પાણી અને દોરીની મદદ તથા ચક્રના આધારથી ઉપાદાનકારણ જે માટી છે, તેનો ઘડો બનાવે છે, તે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, તે તેના સમાધાનમાં કહેવાનું કે, જો કુંભારની પેઠે વિધાતા જગત બનાવતો હોય, તે તે પણ કુંભારની જેમ શરીર આદિ ધર્માવાળા હોઈ અનીશ્વર અને પરતંત્ર જ હાવા જોઈએ ને ? હવે તમે આ દોષ દૂર કરવા કદાચ એમ કહેશેા કે, કુંભારની જેમ ઈશ્વર શરીરી નથી, તો તેના જવાબમાં કહેવાનું કે, તમે પોતે જ ઘડાનું દૃષ્ટાંત આપ્યું હતું અને સૃષ્ટિ કર્તાવાળી છે, એમ પણ તમે જ કહ્યું હતું; તમે ગમે તેમ બાલે, પણ તમારો મત કોઈ રીતે ગ્રાહ્ય થઈ શકતો નથી. તમારા તર્કને અવકાશ નથી, માટે એ બધા કુતર્કો ઠરે છે. અઘટિત——ઘટના કરવામાં કુશળ એવી માયાને સ્વાધીન રાખી સર્વ પદાર્થોનું સર્જન કરનાર પરમાત્મામાં તમારા કુતર્કો ચાલે તેમ નથી.
આ ઉપરથી એવો સાર નીકળે છે કે, મુમુક્ષુએ ‘અશ્વિન્યા લઘુ ચે માવા ન તાંસ્તન યોગયેત્ ।' એ ઉકિત અનુસાર ચિંતવી ન શકાય એવી બાબતમાં તર્ક ( અનુમાન ) કરવાની માથાકૂટ કરવી નહિ. વળી દૃષ્ટાંત હમેશાં એક દેશમાં જ લાગુ પડે છે. જુઓ : નહિ દષ્ટાન્તે સર્વામ્બસ્તિ ) ' ઘડો બનાવવામાં જેટલી સામગ્રી જોઈએ તેટલી જ સામગ્રી જગત બનાવવામાં જોઈએ, એવા કંઈ નિયમ ન હોય. વ્યાપ્તિના અભાવમાં દૃષ્ટાંતમાં
‘ન
For Private and Personal Use Only