________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુકૂળ તકથી ઈશ્વરની સિદ્ધિ
આ પ્રમાણે પ્રતિકૂળ તર્કોના પરિહાર કરી અનુકૂળ તર્કને અનુસરી સ્તુતિ કરે છે :
अजन्मानो लोकाः किमवयववन्तोऽपि जगतामधिष्ठातारं किं भवविधिरनादृत्य भवति । अनीशो वा कुर्याद् भुवनजनने कः परिकरो यतो मन्दास्त्वां प्रत्यमरवर संशेरत इमे ॥ ६ ॥
હૈ દેવામાં શ્રેષ્ઠ! અવયવવાળાં આ સઘળાં જગત શું ઉત્પત્તિ વિનાનાં હોય ખરાં? અને જગતની ઉત્પત્તિની ક્રિયા કર્તા વગર કંઈ બની શકે ખરી? જો ઈશ્વર સિવાય બીજો કોઈ કર્તા હોય, તો સર્જનની સામગ્રી કઈ! આ બધાં કારણોથી તમે સિદ્ધ જ છે; છતાં જેઓ તમારા પ્રત્યે સંદેહ ધરે છે, તે મૂર્ખ છે. ૬
પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ—એવાં પંચમહાભૂતેથી બનેલી આ સૃષ્ટિ અવયવવાળી છે; માટે સર્જેલી અર્થાત જન્મવાળી હોવી જોઈએ. જુઓ : ‘ સૃષ્ટિ જન્મવાળી છે, કેમ કે તે અવયવવાળી છે; જે જે પદાર્થો અવયવવાળા હોય છે, તે તે બધા જન્મવાળા હોય છે; જેમ કે ઘડો અવયવવાળા છે, માટે તે જન્મવાળા અર્થાત્ જન્ય છે' એમ અનુમાન કરી શકાય. ‘ યાવધિરં તુ વિમાનો રોજ્વત્। ' કડાં, બાજુબંધ, કુંડળ વગેરે જે જે વિકારવાળાં ( કાર્ય) હોય છે, તે તે પરસ્પર ભિન્ન હોય
For Private and Personal Use Only