________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તર્કથી ન સમાય તેવી શિવની શક્તિ
૨૫
રહેલી સર્વ બાબત સાધ્યમાં હોવી જ જોઈએ; એ માન્યતા ભૂલભરેલી છે; નહિ તો ‘પર્વત અગ્નિવાળા હોવા જોઈએ, કેમ કે તે ધુમાડાવાળા છે, રસોડાની પેઠે.' આ અનુમાનમાં રસાડામાં ધુમાડાની અને અગ્નિની વ્યાપ્તિ થઈ, ત્યારે ત્યાં એક પંખો પણ જોવામાં આવેલા, તેથી પર્વત ઉપર પણ તે હાવા જોઈએ એમ ઠરે છે; પણ એમ તો હોતું નથી. આ તર્ક દૂષિત હોવાથી અગ્રાહ્ય છે. આમ અવકાશ વગરના અને કવખતે કરેલા આ કુતર્ક મૂર્ખ મનુષ્યોને (બીજા ભાળા લોકોને ભાળવવા) વાચાળ બનાવે છે.
ખરી વાત તો આ છે કે અક્ષરબ્રહ્મ જ આ સર્વ ભૂતોનું ઉપાદાન તથા નિમિત્તકારણ છે. છતાં કોઈ તર્ક કરે કે બ્રહ્મ જગતનું કારણ નથી; કેમ કે, સૃષ્ટિની પૂર્વે એએકલું જ હતું અને માટી, ચક્ર વગે૨ે સહકારી સાધના સિવાય કુંભાર જેમ ઘડો બનાવી શકતો નથી, તેમ સહાયરહિત બ્રહ્મ સૃષ્ટિની રચના કરી શકે નહિ; તો આવા તર્કનું મિથ્યાપણું બતાવવા અમે આ નીચેના મુંડકોપનિષદનો મંત્ર રજૂ કરીશું.
' यथोर्णनाभिः सृजते गृह्यते च यथा पृथिव्यामोषधयः संभवन्ति । यथा सतः पुरुषात् केशलोमानि तथाऽक्षरात्संभवतीह विश्वम् ॥
જેમ કરોળિયા બીજા કોઈની જરૂર વિના જ પોતાના શરીરમાંથી તંતુઓ કાઢી પાથરે છે અને પાછા પોતાના શરીરમાં સંકેલી લે છે, તેમ બીજા કોઈની સહાય વગર પરમાત્મા આ જગતમાં ઉત્પાદક થાય છે.' ત્યાં વળી કોઈ એવા તર્ક કરે કે, બ્રહ્મથી ભિન્ન નથી' તેથી તે બ્રહ્મની જેમ પોતાના જ સ્વરૂપનું
.
જગત
For Private and Personal Use Only