Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય તીર્થના - ૨૧- નામો પાડવાનાં કારણો.
૨૭
૧૧ – લોહિયગિરિ :- શ્રી શત્રુંજ્યની લોહિત નામની ટૂક છે. માટે તેનું અગિયારમું નામ લોહિયગિરિ છે. તેથી તેને પ્રણામ કરો.
૧૨ – તાલધ્વજ:- સંસારી જીવ જેને નમન કરીને પોતાના જન્મને પ્રમાણ – સફલ કરે છે. તેથી બારમું નામ “તાલધ્વજ" છે.
૧૩- દંબ:- શ્રી શત્રુંજ્યની દંબગિરિનામે એક ટુકુ છે. તેથી તેનું તેરમું નામ બદંબ છે. જેમ મારવાડમાં આંબો દુર્લભ છે તેમ આ મનુષ્ય લોકમાં આ ગિરિ મળવો દુર્લભ છે.
૧૪ – સહસાન્જ:- જેની એક નું નામ સહસાન્જ છે. માટે તેનું ચૌદમું નામ “સહસાન્જ છે. જ્યાં કાલિક મુનિ એક હજાર સાથે મુક્તિપદને પામ્યા છે.
૧૫ – નગાધીશ :- જે ગિરિરાજ સર્વપર્વતોનો રાજા છે. તેથી તેના પંદરમા નગાધીશનામને પ્રેમથી નમું છું. જેનાથી લક્ષ્મી મળે છે.
૧૬ – સિદ્ધરાટ :- સિદ્ધિપદને આપનાર સ્થાનકોમાં આ સ્થાન રાજા સમાન છે. તેથી તેનું સોલકું નામ “સિદ્ધરાટ” છે. જે ગિરિરાજ પૂજક ભવ્યજીવોને શિવપદનું દાન કરે છે.
૧૭– શતપત્ર:- આ શ્રી શત્રુંજયનું સત્તરમું નામ “શતપત્ર" છે. તે નામને તમે નિત્ય પ્રણામ કરો. તેના નામથી નવનિધિ પ્રાપ્ત થાય છે. અને એ ચોક્કસ મોક્ષપદ આપનાર છે.
૧૮ – શતકૂટ:- આ શ્રી શત્રુંજયનું અઢારમું નામ “શતકૂટ” છે. તે નામ ગુણથી પાડવામાં આવ્યું છે કારણ કે આ ગિરિરાજ એકસોને આઠ શિખરો ટકરી)થી શોભે છે. માટે હે ભવ્ય પ્રાણીઓ તમેતે ગિરિને ભાવથી નમસ્કાર કશે.
૧૯ –પયરશિ:- આ ગિરિરાજની સેવા કરવાથી પુણ્યની રાશિ –(ઢગલો સમૂહ) બંધાય છે. તેથી તેનું ઓગણીશમું અદભુત નામ “પુણ્યરાશિ” જાહેર કરવામાં આવ્યું.
ર૦ – સુરપ્રિય:- ભવનપતિ —વ્યંતર – જ્યોતિષી અને વૈમાનિક દેવોના સમૂહને આ તીર્થ અત્યંતપ્રિય છે. અને સુખના દ જેવું છે. માટે તેનું વશમું નામ “સુરપ્રિય" પડ્યું છે.
૨૧ – સહસપત્ર :- શ્રી શત્રુંજ્યનું ઉદાર એવું એક્વીશમું નામ “સહમ્રપત્ર" છે. તે નામ સાંભળતાં હૈયામાં હર્ષનું પૂર ઊભરાય છે.