Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય તીર્થના – ૨૧ - નામો પાડવાનાં વિવિધ કારણો
=
૨૯
–
૧૧ – દૃઢશક્તિ :– આ શ્રી શત્રુંજ્યગિરિની સેવા કરતા આત્માની શક્તિ દૃઢ અને અમાપ બને છે. તેથી તેને “દેઢશક્તિ "હેવાય છે. આ ગિરિ સમાન જગતમાં બીજું કોઇ નથી.
૧૨ – મુક્તિનિલય :- આ જગતના મનુષ્યોને આ ગિરિરાજની સેવા વગર બીજો કોઇ મુક્તિમાર્ગ નથી. તેથી મુક્તિના ધામ જેવા આ ગિરિરાજનું “મુક્તિનિલય” નામ પાડવામાં આવ્યું.
–
૧૩ – પુષ્પદંત :– આ ગિરિરાજમાં સહજીવને સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે માટે દેવતા – મનુષ્યો અને રાજા તેનું “પુષ્પદંત” નામ બોલે છે.
=
૧૪ – પૃથ્વીપીઠ :– આ ગિરિરાજ સમગ્ર પૃથ્વીનો આધાર છે. અને અત્યંત સુંદર પણ છે. તેની રજેરજ અત્યંત પવિત્ર છે. માટે હે ભવ્યો ! તમે તેને “પૃથ્વીપીઠ” નામથી વધાવો.
૧૫ – સુભદ્રગિરિ :– આ ગિરિરાજ બધાય જીવોનું ભલું – ક્લ્યાણ કરનારો છે. વળી આ ગિરિરાજ દેખાવથી
=
પણ અત્યંત સુંદર છે. અને તે શાંતિ તથા સુખને કરનારો છે. માટે “સુભદ્રગિરિ” નામ થયું.
૧૬ – કૈલાસગિરિ :– આ ગિરિરાજ સમગ્ર પૃથ્વીને વિષે ઘણાં જ નામોથી પ્રખ્યાત છે. જે સાક્ષાત મુક્તિનગરી જેવો છે. માટે તેનું કૈલાસગિરિ" નામ પાડવામાં આવ્યું
૧૭ – દંબગિરિ :– આ ગિરિરાજઉપર સુગંધના ગુણોથી ભરપૂર એવાં ઘણાં વૃક્ષોની વનરાજી છે. અને જે ગિરિમાં ક્રંબવૃક્ષના અંકુરા (વૃક્ષો) જોવા મલે છે. માટે તેનું નામ “દંબગિરિ” થયું છે.
૧૮ – ઉજજવલગિરિ :– પ્રભુ ઉજજવલ છે. પ્રભુજીના ગુણો ઉજજવલ છે. આ ગિરિનાં શિખરો પણ ઉજજવલ છે. ભવ્યજીવ રૂપી ભમરાઓ જેની આસપાસ ફરે છે. તેથી તેનું નામ “ઉજજવલગિરિ" થયું છે.
૧૯ – વિમલાચલ :– જે ગિરિરાજમાં જવાથી આત્માના નિર્મલ ગુણો પ્રગટ થાય છે. માટે આ ગિરિને સહુ “વિમલાચલ” હે છે. તેથી પૂજ્ય એવા મહંતો પણ તેની સેવા કરે છે..
૨૦ – સર્વકામદાયકગિરિ ::– આ ગિરિરાજના સ્થાન ઉપર સર્વજીવોની સહુ આકાંક્ષાઓ – ઇચ્છાઓ પૂર્ણ થાય છે. માટે આ ગિરિ “સર્વકામદાયકગિરિ આ નામથી જગતમાં પ્રસિદ્ધ થયો છે.
નોંધ :- આના કર્તા બાલેન્દુએ ૨૦ – નામના જ દુહા બનાવ્યા છે. અને તેમાં પણ ૧૯ – તથા – ૩ નંબરના નામનો દુહો એક અર્થનો છે.