Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-૫વૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
કરે છે. (ખબર અંતર રાખે છે.) આવા તીર્થસ્વરને ભાવથી પ્રણામ કરીએ.
સુરવરમાં મઘવા યથા, ગ્રહ ગણમાં જિમ ચંદ;
તે તીર્થસ્વર પ્રણમિયે, તિમ સવિ તીરથ ઈદ
- ખ – ૪૫ –
દેવતાઓમાં જેમ ઈન્દ્ર શ્રેષ્ઠ છે. ગ્રહોમાં જેમ ચંદ્રમાં શ્રેષ્ઠ છે. તેમ જુદાં જુદાં તીર્થોમાં આ તીર્થ (સર્વ શ્રેષ્ઠ) ઈન્દ્ર જેવું છે. તેથી આ તીર્થને નમસ્કાર કરે.
દઠિ દુર્ગતિ વારણે, સમ સારે કાજ;
તે તીર્થસ્વર પ્રણમિયે, સવિ તીરથ શિરતાજ:
- ખ - ૪૬ -
આ ગિરિરાજ દર્શન કરતાં દુગર્તિનું નિવારણ કરે છે. સ્મરણ કરવામાં આવે તો ઇચ્છિત કાયોને પરિપૂર્ણ કરે છે. વળી આ તીર્થ સર્વતીર્થોનો શિરતાજ – મુગટ સમાન છે તેથી તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
પુંડરીક પંચ કોડીશું, પામ્યા કેવલ જ્ઞાન;
તે તીર્થેશ્વર પ્રણમિય, કર્મતણી હોય હાણ.
– ખ – ૪૭ –
શ્રી આદિનાથ પ્રભુના પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામી પાંચ કોટી સાધુ સાથે આ ગિરિમાં ક્વલજ્ઞાન પામીને મોક્ષે ગયા. આ ગિરિરાજ કર્મની હાણ – નાશ કરનારો છે. તેથી આ તીર્થસ્વરને નમન કરીએ.
મુનિવર કોડી દસ સહિત, દ્રાવિડને વારિખિલ્લ;
તે તીર્થેશ્વર પ્રણમિય, ચઢિયા શિવનિશ્રેણ:
- ખ – ૪૮ –
દ્રાવિડ અને વારિખિલ્લ રાજય માટે લડ્યા. પણ (તાપસના ઉપદેશથી ઠંડા પડીને તાપસ થયા. પછી યાત્રાએ તા મુનિના મુખથી) ગિરિરાજના મહિમાને સાંભળી દશ ક્રોડ મુનિઓ સાથે આ ગિરિરાજ આવ્યા. અનશન કરી. ધ્યાનમાં લીન થઇ મોક્ષે ગયા.આવા તીર્થસ્વરને પ્રણામ કરો.
નમિ વિનમિ વિદ્યાધરા, દોય કોડી મુનિ સાથ;
તે તીર્થેશ્વર પ્રણમિય, પામ્યા શિવપુર આથ; – ખ – ૪૯ - નમિ અને વિનમિ નામના બે વિદ્યાધો આ ગિરિરાજ પર આવીને બે કોડી સાથે શિવપુર સ્થાન પામ્યા આવા