Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૮૮
શ્રી શjજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
હોય? તેવા ભ્રમમાં આકાશગંગા નીચે ઊતરી હોય તેવાં જિનમંદિરો શોભે છે.
૫ – ભવજલ તરવા જહાજ:
કલિકાલે એ તીરથ મોટું, પ્રવાહણ જમ ભરદરિયે વિમલગિરિ જાવા નવ્વાણું કરિયે "
સંસાર સમુદ્ર –ભવ સમુદ્રને તરવા માટે આ તીર્થ મોટું જહાજ નહિ હોય?તેમ આ તીર્થ શોભે છે. કલિકાલમાં આ તીર્થ ખૂબજ મોટું છે. ભર રિયે રહેલા માણસને જેમ વહાણ પાર ઉતારે તેમ આ તીર્થ છે.
આ શ્રી શત્રુંજયનામનો પર્વત સદાકાલ માટે સ્થિર ને શાશ્વત છે. સંસાર સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને કરી જવા માટે હોડી (નૌકા) જેવો છે.
જલચર – ખેચર – સવે, પામ્યાં આતમ ભાવ,
તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવજલે તારણ નાવ,
જેના પ્રતાપે જલચર જીવો. બેચર જીવો, તિર્યંચ જીવો વગેરે સર્વે પોતાના આત્મભાવ પામ્યા છે. માટે ભવજલ તરવા નાવડી જેવા તીર્થને નમીએ.
૬- માનું તીરથ એ થંભ:-જગતનાં બધાંય તીર્થોમાં આ તીર્થ ખૂબજ મોટું છે. એટલે આ તીર્થને તીર્થ સ્તંભ કહેવાય છે
૭ – શિવ મંદિર ચઢવા કાજ, સોપાનની પંક્તિ બિરાજે:- આ ગિરિરાજ પર ચઢવાનાં પગથિયાં એ કાંઈ પગથિયાં નથી, પણ એતો મોક્ષ મંદિરમાં ચઢવામાટે- જવા માટે ગોઠવેલાં પગથિયાં છે. જેના દ્વારા ઉપર ચઢી આરાધના કરતાં કર્મ ખપાવી આત્મા સિસ્થિાનમાં જઇ શકે છે.
મુક્તિ - મંદિર સોપાનસસુંદર ગિરિવર પાજ,"
તે તીર્થેશ્વર પ્રણમિય, લહિયે શિવપુર રાજ છે આ ગિણ્વિરની સુંદર પાક પાગ –પગદંડી –મુક્તિ મંદિરના સોપાન જેવી છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ ને શિવપુરનું સામ્રાજ્ય મેળવીએ.
જાણે સદગતિની નિસરણી ન હોય તેવા એ ગિરિરાજ પર પુંડરીક વગેરે ભવિ આત્માઓ ચઢે છે. ને સદગતિને પામે છે.