Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
મોતીશની ટૂક - મોતીવસતી
૮૮૭
ગિરિરાજ પર ટૂફ બાંધવા માટેની જગ્યા જોઈએ તેવી જથ્વી ન હતી. ત્યારે તેઓને આ કુંતાસર નામની ખીણ પૂરીને એના ઉપર ટુકુ બાંધવાનો વિચાર આવ્યો. વળી આ રીતે જો ખાઈ પૂરીને ટ્રક બાંધવામાં આવે તો યાત્રિકોને જે ફરી ફરીને દાદાના દરબારમાં જવું પડતું હતું તે પણ સીધું થઈ જાય. પરંતુ બે પહાડો વચ્ચેની ખીણને પૂરવાનું કામ સહેલું ન હતું. ત્યાં તો લાખો અને કરોડોની વાત થાય. અને ખીણ પુરાયા પછી જ ટૂંકુ બંધાય. છેવટે સાહસિક અને ધર્મની ધગશવાળા શેઠે ખીણને પૂરવાનો વિચાર નકકી ક્યું. અને લાખોના ખર્ચે પુરાવી. અને તેના પર ટ્રની રચના કરવી.
૧૬-મોટાં મંદિરો અને ૧ર૩ – દેરીઓથી મંડિત આંખોને ઠારતી ને હૃદયને ઉજજવળ બનાવતી આ દ્રશ્નો ખર્ચ લાખો અને કરોડેના હિસાબે થયો હતો. (આજની ગણતરીએ તો આંકડા પણ ન મૂકી શકાય) એમ કહેવાય છે કે આ ટૂકુ બનાવતાં જે ઘરડાઓ વપરાયાં હતાં, તેનો જ ખર્ચ લાખોના હિસાબે થયો હતો.
ભવ્ય રંગમંડપ અને વિશાળ પટાંગણમાં બનેલી મોતીવસહીની " પાછળ શેઠ મોતીશાનો ઉત્સાહ ધર્મ ભાવના, ધર્મપ્રત્યેની ઊંડી શ્રદ્ધા અને વિશાળ દૃષ્ટિ જણાઈ આવે છે.
મોતીશાની ક્ના મુખ્ય દેરાસરોમાં મૂળનાયક પ્રભુશ્રી આદિનાથ દાદા બિરાજે છે. આ મંદિરની પ્રતિષ્ઠા વિ. સં– ૧૮૯૩ માં મહાવદ બીજના દિવસે શેઠ મોતીશાહના પુત્ર શ્રી ખીમચંદભાઇના હસ્તે થઈ.
મોતીશાની આ ટૂકમાં – ર૭રર – આરસની પ્રતિમાઓ છે. ૧૪૩ – ધાતુની પ્રતિમાઓ અને –૧૪૫૭ – પગલાંની જોડ યાત્રિકોને જોવા મળે છે.
અલૌક્તિાને સાકાર કરતી – નલિની ગુલ્મવિમાનના આકાર જેવી આ ટૂર્ની રચના પૂરી કરતાં – ૭વર્ષ લાગ્યાં હતાં, ૧૧ળ, સલાટો તથા – ૩ – હજાર મજૂરોએ રાત દિવસ કામ કર્યું હતું,
પરંતુ વિધિની ભવિવ્યતા કંઇક જુદી જ વાત કરી રહી હતી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રોઠબીમાર પડ્યા. અને તેમાંથી તેઓ નજ બચી શક્યા. જે કામ તેઓએ આપ્યું હતું, તે કામ તેમના પુત્ર શ્રી ખીમચંદભાઇ એ પૂર્ણ કર્યું. સવા લાખ માણસોનો સંઘ લઈને ખીમચંદ ભાઈ પાલિતાણા પધાર્યા તે વખતે તેમના સંઘમાં-પર-સંઘપતિઓ હતા,
અઢાર દિવસ સુધી આખું પાલિતાણા શહેર ધુમાડા બંધ કર્યું હતું. એમ કહેવાય છે કે એ સમયે રોજના હિસાબે રસોડાનો ખર્ચચાલીસ હજારનો આવતો હતો. સં. ૧૮૭-માં દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. શ્રી શત્રુંજય તીર્થપની હજારો પ્રતિમાજીઓમાં આ ની દરેક પ્રતિમાજી શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ સર્વોત્તમ લેખાય છે.
દાદાનાં દર્શન કરતી શેઠ મોતીશા અને તેમનાં ધર્મપત્નીની મૂર્તિ તથા તેમના માતુશ્રીની મૂર્તિપણ દેરાસરમાં પધરાવેલ છે. મુખ્ય દેરાસરજી સાથે જે-૧૬– દેરાસરો છે તે દેરાસરો શેઠ મોતીશાના મિત્રો-સગાંઓ અને સ્નેહીઓએ બંધાવેલાં છે મોતીશાની ટ્રમાં જે મંદિરે છે તેની નોંધ :