Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૮
શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર - પૂર્તિ
આવશ્યક - સૂચનાઓ
શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ પધારનાર ભાવિક પુણ્યાત્માને પ્રેમે ભલામણ. અહીં આવીને આટલું તો જ કરશે તો જ તમારી યાત્રા સફલ બનશે.
૧– યાત્રાએ આવનાર પુણ્યાત્માએ ધર્મશાલાથી તળેટી સુધી ખુલ્લાપગે ચાલતાંજ જવાનો આગ્રહ રાખવો જોઇએ.
૨- ન છૂટકે ઘોડાગાડીમાં બેસવું જ પડે તો સમજીને ત્રણચાર જણાએ જ બેસવું વધુ નહિ. તેમાં લોભ ન કરતાં, આ પણ એક જીવદયાનો પ્રકાર છે.
૩- તળેટીમાં ચૈત્યવંદન અને સાથિયાની વિધિ જરુર કરજો.
૪ – રસ્તામાં જ્યણા-જીવદયાપૂર્વક જોઈને ચાલજો, જેથી જીવની વિરાધના ન થાય
૫ – ગિરિરાજ ઉપર ચઢતાં ખુલ્લા પગે જ ચઢવું સર્વોત્તમ ને શ્રેષ્ઠ છે. તે જો શક્ય ન હોય તો છેવટે કપડાં –તાન કે રબ્બરનાં સાધનોનો અનિચ્છાએ ઉપયોગ કરજો. પણ ચામડાનાં સાધનો તો દાપિ નહિ.
૬ - ન છૂટકે વેળી કરવી પડે તો તેના પૈસા-દૂધ-દહીના પૈસા ચાલવાનું આવે ત્યાં ઊતરવાનું છે કે નહિ તે બધું પહેલાં જ નક્કી કરીને તેના મોઢે બોલાવજો. પછી જ ડોળીમાં બેસજો, નહિતર જાત્રાનો આનંદ ઝૂટવાઈ જશે.
૭ – રસ્તો ખુટાડવા માટે રેડિયો – ટેપ વગેરેને સાથમાં ન લેતાં. તેવાં સાધનો વાતાવરણને ખૂબજ ઘેષિત ને ઘોંઘાટવાળું કરે છે.
૮- શ્રી ગિરિરાજના રસ્તે ચાલતાં કે પગથિયાં ચઢતાં મનમાં શ્રી નવકાર મંત્ર - શ્રી આદિનાથાયનમકે શ્રી સિદ્ધગિરિવરાયનમ: ને જાપ કરો, ધાર્મિક કથાઓ કહો – સ્તવનો કે ભજનો ગાઓ અને ગવડાવો.
૯ – શ્રી ગિરિરાજ ઉપર ચઢતાં સંસારસંબંધી કે વ્યાપાર સંબંધી વાતો ન કરતાં. અથવા ઠઠા મશ્કરી પણ ન
કરતાં.
૧૦ – આ આખોય ગિરિરાજ પરમ પવિત્ર છે. માટે તે ગિરિરાજઉપર ક્યાંય પણ ખાવું, થુંકવું કે ઝાડ-પેશાબ કરવાં નહિ.