Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦- ખમાસમણના-૧૦-દુહાઓ અર્થ સાથે
પ
આ અવસર્પિણીના ચોવીશ તીર્થરોમાંથી નેમિનાથ સિવાયના ત્રેવીશે તીર્થકરો આ ગિરિરાજની પુણ્યભૂમિમાં પધાર્યા છે.આ તીર્થ આત્માનાં પરિણામોને શુદ્ધ કરનાર છે. તે તીર્થસ્વરને પ્રણામ કરીએ.
નમિ નેમિ જિનઅંતરે, અજિતશાંતિસ્તવ કીધ:
તે તીર્થેશ્વર પ્રણમિયે, નંદિષણ પ્રસિદ્ધ
–ખ – ૮૧ –
જેગિરિરાજ પર નમિનાથ અને નેમિનાથ ભગવાનના વચલા સમયમાં શ્રી નંદિષણ મુનિએ શ્રી અજિતશાંતિનું સ્તવન બનાવ્યું. તે વાર્તા પ્રસિદ્ધ જ છે. (આ દેરી હાલ નવટુંકુમાં છે.) તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ.
ગણધર –મુનિ ઉવજઝાય તિમ, લાભ લલ્લા કેઈ લાખ;
તે તીર્થેશ્વર પ્રણમિય, જ્ઞાનઅમૃતરસ ચાખ;
–ખ –૮૨ -
આ તીર્થરાજની ભૂમિમાં ગણધરો –મુનિઓ – ઉપાધ્યાય વગેરે કેટલાય લાખો જીવોએ લાભ લીધો છે. અને અમૃતરસને ચાખ્યો છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
નિત્ય ઘંટા – ટંકારવે, રણઝણે સ્લરી નાદ;
તે તીર્થેશ્વર પ્રણમિય, ઇંદુભિ માદલ વાદ -ખ- ૮૩ – જે તીર્થ ઉપર હંમેશાં જિનમંદિરોમાં ઘંટારવ ઝલ્લરીનાદ – દુભિનાદ – માદલનાદ વગેરે થાય છે. તે તીર્થેશ્વરને ભાવપૂર્વક પ્રણામ કરીએ.
જેણે ગિરિ ભરત નવેસરે; કીધો પ્રથમ ઉદ્ધાર
તે તીર્થેશ્વર પ્રણમિય, મણિમય મૂરતિ – સાર; –ખ ૮૪ -
જે ગિરિરાજ ઉપર જે ગિરિરાજનો પ્રથમ ઉદ્ધાર ભરત ચક્રવર્તીએ કરાવ્યો. અને આદીશ્વર ભગવાનની મણિમય મૂર્તિઓ ભરાવીને સ્થાપન કરી તે તીર્થસ્વરને ભાવથી પ્રણામ કરીએ.
ચોમુખ – ચઉગતિ દુઃખ હરેસોવનમય સુવિહાર;
તે તીર્થેશ્વર પ્રણમિય, અક્ષય સુખદાતાર;
ખ –૮૫ -
શ્રી ભરત ચક્વર્તીએ આ શ્રી શત્રુંજયના ઉદ્ધારામાં એક વખત સુવર્ણમય – ચૌમુખ જિન મંદિર બનાવ્યું હતું