Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-ર૧-ખમાસમણ-અર્થ-સાથે
૪૩
થાપચ્યા રાણીના પુત્ર ભવના ભયથી ભય પામી.સસારમાંથી નીક્લી દીક્ષા લઇ ગુરુ મહારાજના કહેવાથી હજાર મુનિઓ સાથે આ ગિરિરાજ પર આવીને અનશન કરીને ગિરિના પ્રભાવથી મોક્ષને પામ્યા. માટે આ ગિરિનું તેરમું નામ મુક્તિનિલયગિરિ થયું.
ચંદા સૂરજ બિહુ જણાં, ઊભા ઇણે ગિરિગ
વર્ણન કરી વધાવીઓ. પુષ્પદંત ગિરિરંગ.
-ર૮ – (ખ. ૧૪)
ચંદ્ર અને સૂર્ય સાક્ષાત્ આ ગિરિનાં દર્શને આવે છે. અને ત્યાં આકાશમાં રહી ઊભા ઊભા વર્ણન કરે છે. અને પુષ્પો વડે વધાવે છે. માટે આ ગિરિનું ચૌદમું નામ પુષ્પદંત થયું (પુષ્પદંત એ સૂર્ય ચંદ્રનું એક નામ છે.)
કર્મકઠિન ભવજલ તજી, ઈહાં પામ્યા શિવસદ્ધ,
પ્રાણી પદ્મનિરંજની, વઘ ગિરિ મહાપદ્મ
–ર૯ – (ખ – ૧૫)
પ્રાણી આ તીર્થની ત્રિકરણ શુધ્ધ આરાધના કરે છે. તે પ્રાણી સંસારમાં કર્મરૂપી કાદવને તરીને પદ્મ-નિરંજની મોક્ષને પામે છે. માટે તમે આ ગિરિને મહાપદ્મગિરિ તરીકે ઓળખો. તેનું પંદરમું નામ છે.
શિવવહુ વિવાહ ઉત્સવે રચિયો સાર;
મુનિવર વર બેન્ક ભણી, પૃથ્વીપીઠ મનોહાર; - 5 – (ખ. ૧૬) કવિની એક સુંદર લ્પના છે કે આત્માને લાગેલાં કમોનો નાશ કરી મોક્ષરૂપી સ્ત્રીને પરણવી હોય તો મંડપ બેલ્ક વગેરે બધું જ જોઈએ. તો જ ત્યાં બેસીને મોક્ષે જનાર વરરાજા મોક્ષરૂપી સ્ત્રીને પરણે છે. આથી જ કહે છે કે શિવ-વહુના વિવાહના મહોત્સવમાં આ ગિરિરાજરૂપી મંડપમાં વરરાજારૂપી મુનિવર ધ્યાનમાં બેઠા છે ને મોક્ષે ગયા છે. તેથી આ ગિરિરાજનું સોલમેં પૂછીપીઠ એવું નામ થયું.
શ્રી સુભદ્રગિરિ નમો, ભદ્ર તે મંગલરૂપ;
જલાર – જ ગિરિવર તણી, શીશ ચઢાવે ભૂપ. - ૩૧ (ખ. ૧૭)
આ ગિરિરાજ પવિત્ર છે અને તેનું પાણી – તેનાં ઝાડ – તેની રજકણ વગેરે બધું જ પવિત્ર છે તેથી તે ભક અને મંગલ (લ્યાણ) રૂપ છે તેથી જ તેની રજને રાજાઓ મસ્તક લગાવે છે. તેથી તેનું સત્તરમું નામ શ્રી સુભદ્રગિરિ
પડ્યું.