Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦- ખમાસમણના-૧૮-દુહાઓ અર્થ સાથે
૭પપ
તે તીર્થસ્વર પ્રણમિયે, જિહાં નહિ આવે કાક.
–ખ—૩૦
જ્ઞાનાવરણીય કર્મ– દર્શનાવરણીયકર્મ વેદનીય કર્મ – મોહનીય કર્મ – આયુષ્યકર્મ નામકર્મ – ગોત્રકર્મ અને અંતરાયકર્મ આ આઠ કર્મો જે ગિરિરાજ ઉપર તીવ્ર વિપાકના ફળને દેતાં નથી તેવો આ ગિરિરાજનો પ્રભાવ છે. વળી આ ગિરિપર કાગડાઓ આવતા નથી તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરે..
સિદ્ધ શિલા તપનીયમય, રત્ન સ્ફટિકની ખાણ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા ક્વલનાણ. -ખ-૩જે ગિરિરાજ પર સુવર્ણમય સિદ્ધશિલા છે, જ્યાં સ્ફટિક રત્નની ખાણ છે. જ્યાં ઘણા આત્માઓ ક્વલજ્ઞાન પામ્યા છે. તે તીર્થરાજને પ્રણામ કરીએ.
સોવન રૂપા રત્નની, ઔષધિ જાંત અનેક;
તે તીર્થેશ્વર પ્રણમિયે. ન રહે પાતક એક.
–ખ–૩ર
આ ગિરિરાજની ભૂમિમાં સુવર્ણ સિદ્ધિ, રૂપાની સિદ્ધિ અને રત્નની સિદ્ધિને કરનારી તથા બીજી પણ અનેક ઔષધિઓ છે. વળી આ ગિરિરાજની આરાધના કરવાથી એક પણ પાપ રહેતું નથી. તે તીર્થેશ્વરને પ્રણામ કરે.
સંયમધારી સંયમે, પાવન હોય જિણક્ષેત્ર,
તે તીર્થસ્વર પ્રણમિયે. દેવા નિર્મળ નેત્ર,
–ખ.-૩૩–
સંયમનું પાલન કરનાર સંયમી આત્મા આ ક્ષેત્રમાં પવિત્ર થાય છે. પાપથી રહિત થાય છે. વળી આ તીર્થ નિર્મલ એવા નેત્રને (ક્વલજ્ઞાન રૂપ નેત્રને) દેનાર છે. તેથી આ તીર્થાધિરાજને હે ભવ્યો ! તમે ભાવથી નમન કરે.
શ્રાવક જિહાં શુભદ્રવ્યથી, ઓચ્છવ પૂજા – ખાત્ર;
તે તીર્થેશ્વર પ્રણમિયે, પોષે પાત્ર – સુપાત્ર.
-ખ.-૩૪
શ્રદ્ધાળુ ભક્તિવંત શ્રાવકો આ ગિરિરાજ પર ન્યાય સંપન્ન એવા દ્રવ્યવડે પક્વ – ખાત્ર – પૂજા વગેરે કાર્યો કરે છે. અને વળી તેઓ સુપાત્ર તથા પાત્રને પોતાના દ્રવ્યથી પર છે. તેથી તેના અંત્માને લાભ થાયને લક્ષ્મી સફલ થાય. તે તીર્થસ્વરને હે ભવ્યજીવો ! તમે ભાવથી પ્રણામ કરો.