Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૭૩૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ
શ્રી શત્રુંજયનાં – ૨૧ – નામો – પાડવાનાં – વિવિધ – કારણો.
-
-
૧ – શ્રી શત્રુંજ્ય :- શુકરાજાએ પોતાના પિતા એવા સાધુભગવંતના વચનવડે જે ગિરિરાજનું છ મહિના સુધી સતત ધ્યાન ધરવાથી પોતાના બાહ્ય શત્રુઓ પર વિજ્ય ર્યો અને પછી અત્યંતર શત્રુપર વિજય ર્યો તેથી આ ગિરિનું નામ “શ્રી શત્રુંજય” જાહેર થયું.
૨ – પુંડરીકગિરિ :- શ્રી પુંડરીક સ્વામી ગણધરે પોતાનું મુક્તિસ્થાન એવા શ્રી શત્રુંજયમાં પધારી દેવ અને મનુષ્યોની સભામાં શ્રી શત્રુંજ્યનું માહાત્મ્ય . ને ત્યાં ચૈત્ર મહિમાની પૂનમને દિવસે પાંચક્રોડ મુનિઓ સાથે એક માસનું અનશન કરી મુક્તિએ પહોંચ્યા. તેથી તેનું નામ “પુંડરીકગરિ” જાહેર થયું.
૩ – સિદ્ધક્ષેત્ર :– વીસ બ્રેડ પાંડવો આ સ્થાનમાં મોક્ષ પામ્યા છે. અને અનંતા જીવો પણ મોક્ષ પામ્યા છે માટે આ ગિરિનું “સિક્ષેત્ર" થયું.
૪ – વિમલાચલ :– ચંદ્રશેખર વગેરે અનેક રાજાઓ અનાદિકાળનાં કર્મના કચરાને દૂર કરીને આ શ્રી સિદ્ધાચલમાં નિર્મલ – વિમલ થયા. માટે તેનું નામ “વિમલાચલ” એવું નામ પાડવામાં આવ્યું.
૫ – સુગિરિ :- પર્વતોમાં સુગિરિ એટલે મેરુપર્વત મોટો છે. તેથીજ તેના ઉપર દરેક તીર્થંકર ભગવંતોનો જન્માભિષેક થાય છે. પરંતુ ત્યાં કોઇ મોક્ષે જતું નથી. ત્યારે આ ગિરિરાજ અનંતાજીવોને મોક્ષ જ્વામાં સહાયભૂત બને. માટે તે મોટો છે. તેથી એનું નામ “સુગિરિ" પડયું.
૬– મહાગિરિ :- આ ગિરિરાજ એંસી યોજન પહોળો છે. અને ર૬ યોજનની ઊંચાઇવાળો છે. વળી આ ગિરિરાજ બીજા પર્વતો કરતાં મહિમા વડે મોટો છે. માટે તેનું નામ “મહાગિરિ” પડયું.
૭ – પુણ્યરાશિ :- શાસ્ત્રમાં શ્રાવકને દાન દેવાવડે મેઘની (વરસાદ)ની ઉપમા આપેલ છે. અને તે શ્રાવક આ ગિરિરાજમાં આવીને દ્રવ્ય આપવા વડે પુણ્યનાં કામો કરે છે. તેથી તેની પુણ્યની રાશિ – ( સમૂહ ) વધે છે. માટે આ ગિરિનું “પુણ્યરાશિ” નામ થયું.
૮ – શ્રીપગિરિ :– જે નારદે બ્રહ્મચારી હોવા છતાં જગતના જીવોને લડાવી મારનારા છે. આવા નારો પણ
–
આ ગિરિરાજની આરાધનાના પ્રતાપે શ્રી – પદ – મોક્ષલક્ષ્મીનું પદ મેળવે છે માટે આ ગિરિરાજનું નામ “શ્રીપદગિરિ” થયું.