________________ 11 શ્રી સંઘ તરફથી દશ દિવસનો મહામહોત્સવ ભવ્ય વરઘોડો અને સમસ્ત પારલાનું સ્વામીવાત્સલ્ય રાખવામાં આવેલ. દશે દિવસ પૂજા, અઢાર અભિષેક પૂજા, અંગરચના–ભાવના આદિ સુંદર રીતે આ મહોત્સવ ઉજવાયા. શાશ્વત્તી ઓળીની આરાધના શ્રી પયુંષણા મહાપર્વ બાદ મહોત્સવ પૂર્ણ થતાં શાશ્વતી ઓળીનાં પ્રવચનોમાં પૂ. આચાર્ય મ. શ્રીએ નવપદની સુંદર છણાવટ કરી હતી. સાવીજી શ્રી રણયશાશ્રીજીએ શ્રીપાળ રાજાનો રાસ બેનો સમક્ષ મધુરકંઠે સંભળાવ્યો હતો. તે બાદ દિપાલિકા ક૫નું પ્રવચન થયું અને બેસતા વર્ષે શ્રી ગૌતમ સ્વામિનો રાસ તથા શાસન સમ્રાટીની ગુરુ તિપૂર્વક મંગલિક પૂ. આચાર્ય મ. શ્રીએ સંભળાવ્યું. કા. સુ. 5 ના સૌભાગ્ય પંચમીની આરાધનામાં 91 પૌષધપૂર્વક નાના બાલ યુવાન લઇ સર્વે એ એક દિવસના સાધુજીવનના કાર્યક્રમમાં ભાગ લીધો. ચાતુર્માસ પરાવર્તન માટે શ્રી ધીરજબેન સલોત તથા શ્રી સુમતીભાઇની વિનતી હતી. તેમાં શ્રી સુમતીભાઈને આદેશ આપવામાં આવ્યો. ત્યારબાદ કા. વ. ૪ના રવિવારે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આદિની નિશ્રામાં પૂ. મુનિશ્રી દર્શનવિજ્યજીની પ્રેરણાથી શિહોર નિવાસી શેઠ શ્રી પ્રાગજીભાઇ ઝવેરચંદ શાહ તરફથી અલ્ટો ચાતુર્માસ દરમ્યાન થયેલા પ્રતિદિન અખંડ અઠ્ઠમ કરનાર 20 ઉપરાંત તપસ્વીઓનું બહુમાન - જમણ પ્રભાવના વિગેરેનો કાર્યક્રમ થયો હતો. જ આમ ચાતુર્માસમાં પૂજ્ય આચાર્ય શ્રી મુનિ મંડલને જ્ઞાન ધ્યાન સ્વાદયાયને તથા શ્રીસંઘને તપ, જપ, આરાધના કરાવવાનો લાભ થયો. આ સાહિત્યસંસ્થામાં પણ પારલા શ્રી સંઘે જ્ઞાનખાતામાંથી પંદર હજાર પાસ કરી જ્ઞાનભકિતનો સુંદર લાભ લીધો અને શ્રીસંઘને પણ દેવદ્રવ્ય વિગેરે સર્વ ક્ષેત્રમાં સારી આવક થઈ. અત્રેના ટ્રસ્ટી મંડળને સહકાર પારલા શ્રી સંઘના પ્રમુખ શ્રી રમણભાઇ ડાહ્યાભાઇની સૌજન્યતા હંમેશાં સ્મરણરૂપ રહેશે. તેમજ પૂ. આચાર્ય મ.શ્રીનું ફ્રી ઓપરેશન કરી સુંદર સેવા આપનાર સૌજન્યશાળી ડો. શ્રી નરેન્દ્રભાઇ બી. શાહ તો ભૂલ્યા ભૂલાય તેમ નથી. જે કાર્ય પૂ. આચાર્યશ્રીએ હાથમાં લીધું તે સુંદર રીતે પૂર્ણ થયું એ જ એક પૂ. ગુરૂ મહારાજશ્રીની કૃપા પ્રસાદી અને સુંદર હતનો પ્રભાવ છે. --પ્રકાશક P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust