________________
૦૪
સમવસરણમાં બેસી દેશના આપે છે. દેશના સમાપ્ત થઈ જતાં સમવસરણ વિસરાલ થઈ જાય છે.
પરમાત્મા ચોત્રીસ અતિશયોથી યુક્ત છે. અતિશય ચમત્કારયુક્ત ઘટના છે, જે શ્રદ્ધાનો વિષય છે, તેમ સમવસરણની વાતો પણ શ્રદ્ધાનો વિષય છે.
મોહરૂપી સ્વયંભૂરમણને તરીને પાર કરનાર જીવાત્મા વીતરાગતા પામે છે ત્યારે તેઓ કેવળજ્ઞાન રૂપી નિધાન મેળવે છે. તે સમયે તેઓ સર્વજ્ઞ, અરિહંત, તીર્થકર કહેવાય છે.
તીર્યતે નેન રૂતિ તીર્થમ્ - જે તારે તે તીર્થ છે. તીર્થ રોતિ તિ તીર્થકર - તીર્થના પ્રણેતા તીર્થકર કહેવાય છે. તીર્થકરની વિશેષતા બતાવતાં શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વઅવસર' કાવ્યની કડી-૧૫માં કહ્યું છે:
ચાર કર્મઘનઘાતી તે વ્યવરચ્છેદ જ્યાં, ભવનાં બીજ તણો આત્યંતિકનાશ જો;
સર્વભાવ જ્ઞાતા દષ્ટા સહશુદ્ધતા, કૃતકૃત્યપ્રભુવીર્ય અનંત પ્રકાશ જો.” અર્થ: ચાર ઘનઘાતી કર્મોનો સર્વથા ક્ષય થતાં ભવનાં બીજનો આત્યંતિક છેદ થાય છે. તેના ફળ સ્વરૂપે કેવળી ભગવાન કેવળજ્ઞાનની શુદ્ધતાથી સર્વ ભાવોને જાણે અને દેખે છે. અનંત વીર્ય અને અનંત પ્રકાશને પામી પ્રભુ કૃતકૃત્ય બને છે.
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે શ્રી વિશેષાશ્યકભાષ્ય'માં કહ્યું છે:
“ઉભય આવરણરહિત, કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વભાવવાળા જિનેશ્વર સર્વજ્ઞેય પદાર્થોને સદાકાળ કેવળજ્ઞાનથી જાણે છે અને કેવળદર્શનથી દેખે છે. સર્વ પ્રકારે, સર્વ દિશાઓમાં, સંભિન્ન લોકાલોક જોનાર કેવળીને એવી કોઈ ત્રણે કાળમાં વસ્તુ નથી કે જેને તેઓ ન જોઈ શકે.
અરિહંત પરમાત્માને ચાર અઘાતી કર્મો ખપાવવાનાં બાકી છે. શ્રીમદ્જી “અપૂર્વ અવસર કાવ્ય, કડી -૧૬માં કહે છે?
વેદનીય ચાર કર્મ વર્તે જહાં, બળી સિંદરીવત્ આકૃતિ માત્ર જો;
તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ્ય પૂર્ણ મટિયે દૈહિકપાત્ર જો.” અર્થ: વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ચાર અઘાતી કર્મો બળેલી સીંદરીની જેમ માત્ર આકૃતિ કે વળ દેખાય પરંતુ તેમાં બળ ન હોય, તેમ અઘાતી કર્મો બળહીન બની જાય છે. આયુષ્ય કમી પૂર્ણ થતાં અઘાતી કર્મો ક્ષય થાય છે. તેઓ પુનઃ દેહધારણ કરતા નથી.
સર્વ જીવોને ધર્મી બનાવું, સર્વ વિશ્વ ઉદ્ધારું!
રહેન જગતમાં કોઈ દુઃખી, સર્વ જીવોને તારું.” અર્થ: જે જીવે પૂર્વે અરિહંત ભક્તિ વગેરે ૨૦ સ્થાનકની આરાધના તેમજ જગતના સર્વ જીવો સુખી થાઓની ઉત્કૃષ્ટ ભાવના ભાવી હોય તેના પ્રભાવથી આગલા ત્રીજા ભવે તીર્થકર નામકર્મ બાંધે છે. ત્યાર પછીના મનુષ્યના ભવમાં તે કર્મનો ઉદય થવાથી તીર્થકર કહેવાય છે.
તીર્થકરના અનન્ય ઐશ્વર્યને અતિશય કહેવાય છે. દેહાદિની અપેક્ષાએ ચોત્રીસ અતિશયો છે. તેમને વચનનાં પાંત્રીસ અતિશયો છે, જેને ‘સત્યવચનાતિશયો' કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org