Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 347
________________ ૩૧૦ હોય પરંતુ ભાવાર્થ સમાન હોય છે. તીર્થકરોની કરુણા કરતાં કરતા કંઈક ઓછો કરુણાભાવ હોય તે ગણધર બને છે. ગણધર પદપણ તીર્થકર નામ કર્મના ઉદયથી મળે છે. ગોયમપદની સાથે દાનપદ જોડાયેલું છે. ગણધર ભગવંતો જગતને સર્વશ્રેષ્ઠ ચૌદ પૂર્વનું દાન આપે છે. પ્રથમ ગણધરને ‘તીર્થ' કહેવાય છે. ગણધર ભગવંતોને પણ બાર પ્રકારની પર્ષદા સાંભળે છે. ૧૬) વૈયાવચ્ચ પદઃ વૈયાવચ્ચ = સેવા, સેવા અપ્રતિપાતી ગુણ છે. સેવા સાથે કરુણાભાવ પરાકાષ્ઠાએ પહોંચે. તો તીર્થકર નામકર્મ ઉપાર્જન થાય. ભગવાન મહાવીરની કરુણા દુઃખી અને પીડિતો પ્રત્યે તો ખરી જ પરંતુ ક્રૂર અને ઘાતકી, વ્યક્તિઓ પ્રત્યે પણ એટલી જ કરુણા પ્રગટી. સંગમદેવે અકલય, અવર્ણનીય ત્રાસ આપ્યો છતાં ભગવાનની કરુણાભીની આંખો આંસુથી આર્દ્ર બની તેનું કલ્યાણ ઈચ્છે છે. માષતુષ મુનિએ શ્રુત જ્ઞાનની આરાધના કરતા ગુરુ ભાઈઓની અત્યંત ઉલ્લાસપૂર્વક સેવા કરી તેથી તેમનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયો. તેઓ કેવળજ્ઞાની બન્યા. ૧૦) સમાધિ પદ : સમાધિ = સમભાવમાં રહેવું. સમ્યગદર્શનનું ફળ સમ્યગજ્ઞાન છે. સમ્યગ જ્ઞાનનું ફળ સમ્યફચારિત્ર છે. સમ્મચારિત્રનું ફળ સમાધિ છે. સમાધિના પ્રભાવે અનુક્રમે સંવર, નિર્જરા અને પરંપરાએ. મોક્ષ મળે છે. મોક્ષપ્રાપ્તિ માટે સમાધિપ્રથમ સોપાન છે. ગજસુકુમારે મારણાંતિક ઉપસર્ગમાં પણ સમભાવ રાખી પરમાત્માપદ મેળવ્યું. ૧૮-૧૯) અભિનવ જ્ઞાનપદ અને શ્રુત પદઃ આ બંને પદમાં જ્ઞાનનો મહિમા છે. જ્ઞાન એ આંખ છે અને અધ્યાત્મની દુનિયામાં વિહરવા માટે શ્રુત એ પાંખ છે. આતમને અધ્યાત્મથી અજવાળવા માટે, અજ્ઞાનનું વિદારણ કરી સમ્યગજ્ઞાન પામવા માટે, ચારગતિને ચૂરીને પંચમગતિ પામવા માટે, રાગ ત્યજી અંતે વીતરાગી પદમેળવવા માટે શ્રુતજ્ઞાન જરૂરી છે. | ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહી જ્ઞાન પ્રાપ્તિની પ્રવૃત્તિથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મનું નિવારણ થાય છે. જ્ઞાનીની ભક્તિ, જ્ઞાન ઉપાર્જનમાં પુરુષાર્થ, જ્ઞાન ભંડારોનું નિર્માણ, શાસ્ત્રોનું બહુમાન, આગમભક્તિ ઈત્યાદિ શ્રુતજ્ઞાનનું બહુમાન છે. - શ્રુતજ્ઞાન શ્રવણ અને પઠન-પાઠનથી થાય છે. હિત-અહિત અને ગુણ-દોષનું જ્ઞાન અભિનવા (મતિ) જ્ઞાનથી થાય છે. ચિંતન, મનન, નિદિધ્યાસનનું સામર્થ્ય મતિજ્ઞાનમાં છે. ૨૦) તીર્થ પદ જિન પ્રવચન, પ્રથમ ગણધર, ચતુર્વિધ સંઘ તીર્થ છે. મુક્તિગામી આત્માઓ જ્યાં નિર્વાણ પધાર્યા તે ભૂમિ પણ તીર્થ છે. સ્થાવર અને જંગમ ઉભય પ્રકારના તીર્થની અપૂર્વ આરાધના કરું. એવી ઉત્કૃષ્ટ ભાવનાભાવતા તીર્થકર નામકર્મ બંધાય છે. તીર્થંકરના આગલા ત્રીજા ભવે તીર્થંકર પદની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થપ્રારંભ થાય છે. વિશ્વના સર્વ જીવો સાથે આત્મીયતા મૈત્રી અને વિશ્વબંધુત્વની ઉત્તમ ભાવદયા ભાવતાં તીર્થકર નામકર્મ નિકાચિત થાય છે. વીસ સ્થાનક પદની પૂજામાં વીસપદની વીસ કથાઓ દર્શાવવામાં આવી છે. (૧) અરિહંત પદ - દેવપાલની કથા (૨) સિદ્ધ પદ - હસ્તિપાલ રાજાની કથા (૩) પ્રવચન પદજિનદત્ત- હરિપ્રભની કથા (૪) આચાર્યપદ-પુરુષોત્તમ રાજાની કથા (૫) સ્થવિર પદ-પગ્નોત્તર રાજાની કથા (૬) ઉપાધ્યાય પદ - મહેન્દ્રપાલ રાજાની કથા (6) સાધુ પદ - વીરભદ્રની કથા (૮) જ્ઞાન પદ - જયંત દેવની કથા (૯) દર્શન પદ- હરિવિઝમ રાજાની કથા (૧૦) વિનય પદ- ધન શેઠની કથા (૧૧) આવશ્યક (ચારિત્ર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386