Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 369
________________ ૩૩૨ (૨૧) અજ્ઞાન પરિષહ: વિશિષ્ટ જ્ઞાનની અપ્રાપ્તિ એ અજ્ઞાન પરિષહ છે. સાધક દુષ્કર તપ, વ્રત ઈત્યાદિ કરે છતાં, જ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો ખિન્ન ન થતાં ધૈર્યથી સાધનામાં આગળ વધતાં પ્રસન્ન અને સંતુષ્ટ રહે, આશાવાદી રહે. અજ્ઞાનના કારણે થતા આક્ષેપ-તિરસ્કારમાં સમતા રાખે તે અજ્ઞાન પરિષહ જય છે. (૨૨) દર્શન પરિષહ: જિનોક્ત તત્ત્વમાં અશ્રદ્ધા, સમ્યગદર્શન સંબંધી પરિષહ તે દર્શન પરિષહ છે. પરદર્શનના ચમત્કારો, આડંબરો જોઈ શ્રદ્ધાથી ચલિત ન થાય તે દર્શન જયપરિષહ છે. સુલસા શ્રાવિકાની દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની અવિચળ શ્રદ્ધા હતી. તેની શ્રદ્ધાને ડગાવવા અંબડ પરિવ્રાજકે વૈક્રિય લબ્ધિથી ચમત્કારો દેખાડયાપણ સુલતાએ દર્શન-શ્રદ્ધાપરિષહપર જય મેળવ્યો હતો. શ્રી ભગવતી સૂત્ર૮૮/૫માં કહે છે કે, આ બાવીસ પરિષહ ચાર કર્મના ઉદયથી આવે છે. તે (૧) જ્ઞાનાવરણીય (૨) મોહનીય (૩) વેદનીય (૪) અંતરાય. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી બે પરિષહ આવે છે. (૧) પ્રજ્ઞા પરિષહ (૨) અજ્ઞાનપરિષહ. દર્શના મોહનીય કર્મના ઉદયથી એકપરિષહ આવે છે. (૧) દર્શનપરિષહ. ચારિત્રમોહનીય કર્મના ઉદયથી સાત પરિષહ આવે છે. (૧) જુગુપ્સા નોકષાય ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી અચેલ પરિષહ. (૨) અરતિ નોકષાય ચારિત્રમોહનીય કર્મના ઉદયથી અરતિ પરિષહ. (૩) પુરુષ વેદનોકષાય ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી સ્ત્રી પરિષહ. સ્ત્રી વેદ નોકષાય ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી પુરષ પરિષહ, (૪) ભય નોકષાય ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી નિષધા પરિષહ. (૫) ક્રોધ નોકષાય ચારિત્રમોહનીય કર્મના ઉધ્યથી આક્રોશ પરિષહ. (૬) માન નોકષાય ચારિત્રમોહનીય કર્મના ઉદયથી યાચનાપરિષહ. (0) લોભ નોકષાય ચારિત્રમોહનીય કર્મના ઉદયથી સત્કાર-પુરસ્કાર પરિષહ. વેદનીય કર્મના ઉદયથી ૧૧ પરિષહ હોય છે. (૧) સુધા (૨) તૃષા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશમશક(૬) ચર્યા (6) શય્યા(૮) વધ (૯) રોગ (૧૦)તૃણસ્પર્શ (૧૧) ચલ. અંતરાય કર્મમાં લાભંતરાય કર્મના ઉદયથી એકપરિષહ આવે છે. (૧) અલાભ પરિષહ. કર્મની રેખાને કોઈ ભૂંસી શકતું નથી માટે દુઃખ-પીડાને સમતાભાવે સહન કરવા એ જ ખરી વીરતા છે. પરિષહ સહન કરતાં વિપુલ કર્મોની નિર્જરા થાય છે. પરિષહ આદિ પ્રતિકૂળતામાં છ મહિનાના બાળક જેવા બની રહેવું જોઈએ. જેમ છ મહિનાનું બાળક તેને માતા જે ખવડાવે તે ખાય, જ્યાં સુવડાવે ત્યાં સુવે, જ્યાં લઈ જાય ત્યાં જાય તેમ ઉદયભાવ આવે ત્યારે જ્ઞાતા-દષ્ટા બની જોયા કરવું, તેમાં ભળવું નહીં એ પરિષહોથી પાર ઉતરવાનો કીમિયો છે. “સાધૂ જીવન કઠિન હૈ, ચડના પૈડખજૂર; ચડે તો ચાખે પ્રેમ રસ, પડે તો ચકનાચૂર” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386