________________
એ કર્મ ઉદયમાં આવતા દુઃખ આવે. એ દુઃખ દૂર કરવા જતાં જીવ બાંધે, ને એ નવા કર્મથી નવા દુઃખ... આમ આ
નવા કર્મ
સંસાર દુઃખની પરંપરાવાળો છે.
ચાર નિક્ષેપે
સંસાર
દરેક વસ્તુના ૪ નિક્ષેપા થાય. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. સંસાર શબ્દના ૪ નિક્ષેપા જોઈએ. નામ સંસાર એટલે કાગળમાં સંસાર શબ્દ લખ્યો હોય તે. સંસારની વિવિધ ગતિઓના ચિત્રો તે સ્થાપના સંસાર. એક ગતિમાંથી બીજી ગતિમાં જીવ ભટકે, રખડયા કરે એ દ્રવ્ય સંસાર અને આત્માના વિષય અને કષાયના પરિણામ તે ભાવ સંસાર. દરેક જગ્યાએ દ્રવ્ય એ ભાવમાં કારણ હોય છે. પણ અહીં ઊંધું છે. ભાવ સંસાર એ દ્રવ્ય સંસારના કારણ છે. ચારે ગતિમાં જીવ રખડે છે વિષય કષાયના પરિણામને કારણે ! યોગશાસ્ત્રમાં કહ્યું કે કષાય અને વિષયને પરાધીન આત્મા એ જ સંસાર છે. રાગદ્વેષયુક્ત આત્મા તે જ઼ સંસાર. દ્રવ્ય સંસારનું મૂળ ભાવ સંસાર છે. જેટલા પરિણામ બગડે એટલો દ્રવ્ય સંસાર બગડે.
વાસુપૂજ્યસ્વામીજીના સ્તવનમાં ઉપાધ્યાયજી મ. કહ્યું, ‘કલેશવાસિત મન તે સંસાર' આ એક જ પંક્તિમાં કેટલું તત્વ આપી દીધું. મનને સમજાવી દો. કલેશ, રતિ-અરતિ, નિંદાદ્વેષ આ બધામાં દોડતું મન તે જ સંસાર. એ જ રખડાવે છે. એનાથી બચવા જ ભક્તિ, સંયમ બધું છે. દ્રવ્ય - ચાર ગતિરૂપ
સંસાર તો કડવો લાગે પણ ભાવ સસાર કડવો લાગે છે ખરો ? અહીં રાગ કરવો ગમે છે પણ તેના પરિણામે આવતું દુઃખ
Jain Education International
૨૩ For Personal & Private se Only
www.jainelibrary.org