Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 162
________________ કેવળજ્ઞાન પામ્યા. ગુણસાગર કેવળીની દેશના બાદ સુધન શ્રેષ્ઠી જે વેપારાર્થે આવ્યો છે તે કહે ભગવાન્ ! આવું કૌતુંક સગી આંખે પહેલી જ વાર જોયું. આંખ આગળથી ખસતું નથી. કેવું જિનશાસન ! લગ્નને કેવળજ્ઞાનમાં ફેરવી નાખે. આ શાસન પામ્યા પછી માયકાંગલા કેમ રહેવાય ? મોહને ચેલેન્જ મારીને કહી દોતારું નિયંત્રણ દુનિયા પર ભલે ચાલે પણ જે શાસન પામ્યા છે તેના પર નહિ. અહીં કેવળી એને કહે : આના કારતાં મોટુ કૌતુક તને તારા નગરમાં જોવા મળશે. વિરાગના ઉપવનમાં, પૃથ્વીચંદ્રજી સુધન શ્રેષ્ઠિ નગરમાં આવે છે. અહીં પૃથ્વીચંદ્ર રાજા છે. તે પણ મહાવૈરાગી છે. માતા-પિતાએ પરાણે પરણાવીને રાજગાદીએ બેસાડી દીધો છે. પણ એણે એની પત્નીઓને પ્રતિબોધ કરી સમજાવી દીધું છે કે આપણે સાથે ચારિત્ર લઈશું. એનું મન રાજકાજમાં નથી. સિંહાસન પર બેઠો બેઠો પણ મોહરાજાની પકડ વિચારે છે. દાઉદ દુબઈ પર બેઠો બેઠો મુંબઈ પર કંટ્રોલ કરે પણ આ મોહરાજાએ તો આખી દુનિયાને કંટ્રોલ કરી છે. એ જેમ કહે એમ કર્યે જવાનું. એ જગતના જીવ પર જેવો ઓર્ડર કરે એમ કરવું જ પડે. આ પૃથ્વીચંદ્ર રાજા સિંહાસને બેઠો બેઠો પણ “ચિંતવે મોહના ઘાટ રે” મોહરાજાની કદર્થના વિચારે છે. સુધન શ્રેષ્ઠી રાજદરબારે આવે છે. પૃથ્વીચંદ્ર : ક્યાં ગયા Jain Education International ૧૫૫ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196