Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 172
________________ સાધુ-સાધ્વી ભગવંતો મોક્ષમાર્ગની સાધના કરે, ચારિત્ર પાળે, એ બધાની અનુમોદના કરું છું. વળી, બધા શ્રાવકોના મોક્ષસાધક યોગોની અનુમોદના કરું છું. સાધુ પણ શ્રાવકના તપશ્ચર્યા, આંગી, પ્રભુભક્તિ, વૈયાવચ્ચ આદિ યોગોની અનુમોદના કરે, અરિહંત ચેઈઆણંમાં શ્રાવકોના મોક્ષસાધક યોગોની અનુમોદના જ આવી ને ? શ્રાવકો દેશવિરતિમાં છે પણ દેવતાનું સુકૃત ક્યું ? દેવતામાં સમ્યક્દર્શન વિ. હોય. ભગવાનની ભક્તિ, અભિષેક કરે, દેશના સાંભળે, કલ્યાણક ઉજ્યું. એની અનુમોદના કરું છું. વળી, મોક્ષાભિલાષી અને શુભ આશયવાળા બધા જીવોના મોક્ષસાધક યોગોની અનુમોદના કરું છું. જૈનેતરોની પણ એવી ક્રિયા જે ભવાંતરમાં તેમને જિનશાસનમાં લાવે તો તેવી ક્રિયાની પણ અનુમોદના કરું છું. પ્રાર્થનાઃ આ અનુમોદના વિધિપૂર્વક થાઓ. વળી શુદ્ધ આશયવાળી થાઓ. સ્વીકારપૂર્વકની થાઓ અને સમ્યગ્ નિરતિચાર (અતિચાર વિનાની) થાઓ. પણ આ બધું કેમ થશે ? કેવળજ્ઞાન અને કેવળદર્શન યુક્ત અરિહંત અને બીજા સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતની કૃપાથી થાઓ. આધ્યાત્મિક જગતમાં જે કાંઈ કમાણી થાય તે બધી દેવ-ગુરૂની કૃપાથી જ થાય. આપણી ઈચ્છાથી કરીએ તો ગાડી આગળ ન વધે. આપણામાં સેકેલો પાપડ તોડવાની પણ શક્તિ Jain Education International ૧૬૫ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196