Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 182
________________ ગહથી દુષ્કત ઘટે, શૂળીનું પાપ સોંયથી પતે. સુકૃતની અનુમોદનાથી નાના સુકૃતોનું ફળ પણ મોટું થઈને મળે. ગઈ એટલે ભાગાકાર અને અનુમોદના એટલે ગુણાકાર, પછી તે સુકૃતના હોય કે દુષ્કૃતના. અરિહંતને અનુકૂળ થાઓ. આખા વિશ્વનું સંચાલન અરિહંતને આધારે છે. અરિહંતા તત્વ એ જ કુદરત છે. જેટલા અનુકુળ થઈએ તેટલો લાભ. પ્રતિકૂળતામાં નુકશાન. આપણે કેવા? મૂર્ખ, પપી. કેમ? અનાદિથી મોહવાસિત છીએ. જે મોહવાસિત હોય તેને હિતાહિતની ખબર ન પડે એટલે ભગવાનને પ્રાર્થના કરી કે મને હિત-અહિતનું જ્ઞાન થાઓ પણ જાણવા માત્રથી શું? ગુટખા ખાવાથી કેન્સર થાય એ ખબર છે પણ જે ગુટખા છોડે નહિ તો કેન્સર થાય માટે અહિતથી નિવૃત્ત થાઉં ને હિતમાં પ્રવૃત્ત થાઉં. પાપો એ અહિત છે, હિંસા, જૂઠ, ચોરી, મૈથુનથી નિવૃત્ત થઈ સામાયિક, પૂજ, પ્રતિક્રમણ વગેરે અનુષ્ઠાનો આચરું, આરાધક બનું. આપણું હિત શેમાં? આ જગતના બધા જીવો પ્રત્યેના ઉચિત વ્યવહારમાં. બધા પ્રત્યે સરખો ન કીધો, ઉચિત કહ્યો. મા-બાપ પ્રત્યે જુદો, ભાઈ પ્રત્યે, બેન પ્રત્યે જુદો. જેને માટે જે ઉચિત હોય તે કરવાનો. ઢોર, ભેંસને દુઃખ ન આપીએ, ખાવા ઘાસ આપીએ એ ઉચિત વ્યવહાર પણ એને પગે ના લગાય. સર્વ જીવો જડે ઉચિત વ્યવહાર એ જ સાચો ૧૯૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196