Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 179
________________ સમવસરણનું ધ્યાન કરી શકાય. હું તો મુંબઈ ગોડીજી દેરાસરમાં ઘણીવાર ૧ કલાક કરતો. એમાં ભગવાન દેશનામાં નરકનું વર્ણન કરે. નાનપણમાં માંદા પડડ્યા હોય, ઓપરેશન કર્યું હોય ને તેવી મૂવી ઉતારી હોય અને મોટા થયા પછી તે જોઈએ ત્યારે કેવું થાય ! ભગવાન કહે જો તારા ગત ભવોને જો ! પેલો પરમાધામી તારા શરીરના ટુકડે ટુકડા કરે છે. જો પેલો પરમાધામી ભાલો ઘોંચવા આવ્યો ને તું રડતો રડતો દોડયો. એટલે તને પકડીને ઉકળતી વૈતરણ નદીમાં નાંખ્યો. નરકમાં આપણા શરીરના ટુકડે ટુકડા કરીને ચારે બાજુ નાંખે પણ મરી ન જવાય. આત્મપ્રદેશો જોડાયેલા હોય એટલે એ ટુકડાઓ પાછા ભેગા થઈ જાય પણ દુઃખ અપરંપાર હોય. આ તીર્થકરો કાંઈ એમનેમ અદ્ધિ છોડે છે? દુખથી ભરેલો દેખું સંસાર અટારો રેઃ શાંતિનાથ ભગવાન ચક્રવર્તી હતા. ૧૬ ક્રોડ ગામના અધિપતિ હતા.પણ જોયું કે ભૂતકાળમાં આ જ દુઃખો વેઠયા છે. બળદ થઈને ગાડાઓ જ ખેંચ્યા છે. સોટીઓના માર ખાધા છે, અડધું પડધું ખાવા મળે, તરસ લાગી હોય તોય કોને કહે? પાણી પણ પૂરૂ પીવા મળે કે કેમ? અને છેલ્લે ઘરડા થઈએ એટલે કતલખાને પહોંચી જવાનું. ખાટકીઓ જીવતા ચામડી ઉતારે કારણકે મુલાયમ ચામડી મળે. ગળે છરો ફેરવી દે. આજે નરક નથી દેખાતી પણ તિર્યંચ તો દેખાય છે ને? આ તો નરક, પણ અનંતા તો નિગોદમાં છે. નરક કરતાં ૧૦૨ For Persol Jain Education International rivate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196