________________
કેવળજ્ઞાન પામ્યા.
ગુણસાગર કેવળીની દેશના બાદ સુધન શ્રેષ્ઠી જે વેપારાર્થે આવ્યો છે તે કહે ભગવાન્ ! આવું કૌતુંક સગી આંખે પહેલી જ વાર જોયું. આંખ આગળથી ખસતું નથી. કેવું જિનશાસન ! લગ્નને કેવળજ્ઞાનમાં ફેરવી નાખે. આ શાસન પામ્યા પછી માયકાંગલા કેમ રહેવાય ? મોહને ચેલેન્જ મારીને કહી દોતારું નિયંત્રણ દુનિયા પર ભલે ચાલે પણ જે શાસન પામ્યા છે તેના પર નહિ. અહીં કેવળી એને કહે : આના કારતાં મોટુ કૌતુક તને તારા નગરમાં જોવા મળશે. વિરાગના ઉપવનમાં, પૃથ્વીચંદ્રજી
સુધન શ્રેષ્ઠિ નગરમાં આવે છે. અહીં પૃથ્વીચંદ્ર રાજા છે.
તે પણ મહાવૈરાગી છે. માતા-પિતાએ પરાણે પરણાવીને રાજગાદીએ બેસાડી દીધો છે. પણ એણે એની પત્નીઓને પ્રતિબોધ કરી સમજાવી દીધું છે કે આપણે સાથે ચારિત્ર લઈશું. એનું મન રાજકાજમાં નથી. સિંહાસન પર બેઠો બેઠો પણ મોહરાજાની પકડ વિચારે છે. દાઉદ દુબઈ પર બેઠો બેઠો મુંબઈ પર કંટ્રોલ કરે પણ આ મોહરાજાએ તો આખી દુનિયાને કંટ્રોલ કરી છે. એ જેમ કહે એમ કર્યે જવાનું. એ જગતના જીવ પર જેવો ઓર્ડર કરે એમ કરવું જ પડે. આ પૃથ્વીચંદ્ર રાજા સિંહાસને બેઠો બેઠો પણ “ચિંતવે મોહના ઘાટ રે” મોહરાજાની કદર્થના વિચારે છે.
સુધન શ્રેષ્ઠી રાજદરબારે આવે છે. પૃથ્વીચંદ્ર : ક્યાં ગયા
Jain Education International
૧૫૫
For Personal & Private Use Only
www.jainelibrary.org