Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 149
________________ ન હોય તેવી વસ્તુ વિશે કોઈ પણ વિપરીત આચરણ કર્યું હોય, ન આચરવા જેવું આચર્યું પાપ સ્વરૂપ તે (એકવાર આચરી લઈએ પણ તીવ્ર રસ ન હોય તો પાપ) પાપાનુબંધી (બૂબા રસથી આચરીયે તો પાપના અનુબંધ થાય, પરંપરા ચાલે) સુક્ષ્મ કે સ્કૂલ, મનથી, વચનથી કે કાયાથી, કર્યું કરાવ્યું કે અનુમોઘું હોય, રાગથી, દ્વેષથી કે મોહથી (રાગ-દ્વેષમાં જ્ઞાન હોય છતાં કરે, અથવા મોહ એટલે અજ્ઞાનથી કર્યું આ ભવમાં કર્યું કે ભૂતકાળના ભાવોમાં કર્યું તે ગહ કરવા જેવું છે. દુષ્કૃત છે, છોડવા જેવું છે. આ બધું કલ્યાણમિત્ર ગુરૂભગવંતના વચનથી જામ્યું છે. (ગુરુ એ કલ્યાણમિત્ર છે, જે સંસારથી પાર ઉતારે છે.) એ શ્રદ્ધાપૂર્વક મને રૂચ્યું છે. (જાણવું જુદુ અને રૂચવું જુદુ, મનમાં ગમે, વર્તનમાં ઉતરે એ રૂછ્યું કહેવાય) અરિહંત, સિદ્ધ સમક્ષ હું એની ગહ કરું છું એ દુષ્કત છે, એ છોડવા યોગ્ય છે. આ જે દુષ્કત મે કર્યું તે બદલ મિચ્છામિ દુકકડમ્, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ્. મારૂ તે દુષ્કૃત મિથ્યા થાઓ. આધ્યાત્મિક ક્ષેત્રનો નિયમ છે કે તમને જેના મનોરથ થાય તે મળ્યા વગર ન રહે. અહીં નિંદા, ગહ કરી પણ તેમાં મનોરથો પણ કરે છે. મારી આ ગહ સમ્યફ થાઓ. સમ્યક્ એટલે શુદ્ધ આશરવાળી અને ઉપયોગપૂર્વકની થાઓ. વળી આ દુષ્કૃતના અકરણનો નિયમ થાઓ, આ દુષ્કત બીજીવાર ન થાઓ. આ દુષ્કત નહીં અને અકરણ નિયમ મને બહુમત છે. સંમત છે. હું અરિહંત ભગવંતોની અને કલ્યાણમિત્ર એવા ગુરૂ ભગવંતોની હિતશિક્ષાને ૧૪૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196