________________
नयविंशिका-८
६४
'कृष्णो भ्रमरः ' इत्यत्र विद्यमानेतरशुक्लादिवर्णप्रतिषेधाद् भ्रान्तत्वं तत्प्रतिषेधेऽतात्पर्यात् । ननु यदि शुक्लादिप्रतिषेधतात्पर्यं नास्ति, तर्हि कृष्णवत् कुतस्तस्य नोल्लेख इति चेत् ? अनुद्भूतत्वेनाविवक्षणादिति गृहाण । ननु तत्र शुक्लादिप्रतिषेध एव तात्पर्यं नत्वविवक्षामात्रमेव, 'भ्रमरः शुक्लो न वा ?' इति प्रश्रे 'नैव शुक्लः' इत्यस्यैवोत्तरस्य लोकेन दीयमानत्वात्, अन्यथा 'एकविशेषविधानस्यान्यविशेषनिषेधपरत्वं' इति न्यायभङ्गापत्तेश्चेति चेत् ? सत्यं, लोकविषयीभूतेष्वेव वर्णादिषु लोकस्य जिज्ञासा - व्यवहारश्च भवति । लोकविषयीभूतत्वञ्च यत उद्भूतवर्णादीनामेवातो लोकव्यवहारे यौ विधिनिषेधौ प्रवर्तेते तावुद्भूतवर्णादिविषयावैवेति
ઉપચારપ્રાય અને વિસ્તૃતાર્થ એ વ્યવહારનય છે,' એમ કહ્યું છે.
શંકા - ‘કૃષ્ણો ભ્રમર:' માં વિદ્યમાન એવા ઇતરશુક્લાદિવર્ણનો નિષેધ થતો હોવાથી એ ભ્રાન્ત બની જશે. (ભમરાને કાળો કહો એટલે ‘એ સફેદ નથી' વગેરે પ્રતીતિ થઈ જાય છે. - તે પણ ‘સર્વે વાક્ય સાવધારણ ભવતિ' ન્યાયે... માટે આ જ્ઞાન ભ્રમાત્મક છે.)
સમાધાન - ‘કૃષ્ણો ભ્રમર:' આવું જે કહેવાય છે એમાં શુક્લાદિવર્ણનો નિષેધ કરવાનું તાત્પર્ય ન હોવાથી એ ભ્રમાત્મક નથી.
શંકા - જો શુક્લાદિનો નિષેધ કરવાનું તાત્પર્ય નથી તો કૃષ્ણવર્ણની જેમ એનો પણ કેમ ઉલ્લેખ થતો નથી ?
સમાધાન - કૃષ્ણવર્ણ ઉદ્ભૂત હોય છે. શુક્લાદિવર્ણો અનુભૂત હોય છે. અનુદ્ભૂત હોવાથી એની અવિવક્ષા હોવાના કારણે એનો ઉલ્લેખ થતો નથી.
શંકા - ત્યાં શુક્લાદિનો નિષેધ કરવાનું જ તાત્પર્ય છે, નહીં કે માત્ર અવિવક્ષા. એટલે જ ‘ભમરો શુક્લ હોય છે કે નહીં ?' એવા પ્રશ્નના જવાબમાં ‘શુક્લ ન જ હોય’ એવો જ જવાબ લોકદ્વારા અપાય છે. વળી કૃષ્ણવર્ણ કે જે એક વર્ણવિશેષ છે, તેનું વિધાન હોવા છતાં શુક્લાદિ અન્ય વર્ણવિશેષનો નિષેધ નહીં માનો તો ‘એક વિશેષનું વિધાન બીજા વિશેષના નિષેધને જણાવવામાં તત્પર હોય છે' એવા નિયમનો ભંગ થઈ જશે.
સમાધાન તમારી વાત બરાબર છે. લોકનો વિષય બનનાર વર્ણ વગેરે અંગે જ લોકને જિજ્ઞાસા અને વ્યવહાર હોય છે. જે વર્ણાદિ લોકના વિષય બનતા નથી એના લોકને જિજ્ઞાસા-વ્યવહાર વગેરે સંભવે જ શી રીતે ? અને લોકનો વિષય તો ઉદ્ભૂતવર્ણ વગેરે જ બને છે. માટે લોકવ્યવહારમાં જે વિધાન કે નિષેધ થાય છે તે ઉદ્ધૃતવર્ણાદિના
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org