Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 287
________________ २७४ नयविंशिका-१५ मात्रेणार्थभेदकल्पनं न युक्तम् । न हि कोशानुशासनादावपि लिङ्ग-वचनादिभेदमात्रेणार्थभेदः कथितः । किञ्च तृषाशमनार्थ्यपि न माधुर्यं गवेषते, अपि तु तदाश्रयं जलद्रव्यमेवेत्यर्थक्रियाकारित्वमपि क्षणिके माधुर्याद्याधारभूते जलादिद्रव्य एव मन्तव्यम् । आधारभूतं जलद्रव्यं विमुच्य स्वतन्त्रं माधुर्यं कुत्रोपलभ्यते? न कुत्रचिदित्यर्थ इत्यतोऽप्याधारतयाऽवश्यंकल्पनीये जलद्रव्य एवार्थक्रियाकारित्वकल्पना श्रेयस्करी । तथा, घटनलक्षणं व्युत्पत्त्यर्थं यो न जानाति तस्यापि घटपदाद् घटबोधो भवतीति स्वीकुर्वंस्त्वं नामघटादीन् किं न स्वीकुरुषे ? इदमुक्तं भवति-व्युत्पत्त्यर्थबोधं विनापि जायमानेन घटबोधेनैतत्सूच्यते यद् व्युत्पत्त्यर्थपुरस्कारेणैव घटादिपदाद् घटबोधो भवतीति नास्ति नियम इति । ननु तत्रापि घटत्वं पुरस्कृत्यैव घटबोधो भवति, नामघटादिषु तु घटत्वस्याप्यभाव एवेति कथं ते 'घट'पदवाच्या:? इति चेत् ? न, व्युत्पत्तिनिमित्तनियमवत् प्रवृत्तिनिमित्तनियमस्याप्यभावात्, प्रवृत्तिनिमित्तमजानानेनापि सङ्केतज्ञानमात्रप्रभावात् तत्तत्पदात् तत्तत्पदार्थबोधस्यानुभूयमानत्वात्। कथमन्यथा पारिभाषिक કોશ-અનુશાસન વગેરેમાં પણ કાંઈ લિંગ-વચનાદિ ભેદમાત્રથી અર્થભેદ કહેલો નથી. વળી, તૃષાશમનનો અર્થ પણ મધુરતાને શોધવા નથી નીકળતો, પણ તેના આશ્રયભૂત જળદ્રવ્યને જ શોધે છે. એટલે અર્થક્રિયાકારિત્વ પણ મધુરતાદિના આધારભૂત ક્ષણિક જળાદિદ્રવ્યમાં જ માનવું જોઈએ. આધારભૂત જળદ્રવ્યને છોડીને માધુર્ય સ્વતંત્ર હોવું ક્યાં જણાય છે ? કશે જ નહીં. માટે આ કારણે પણ આધારરૂપે અવશ્ય કલ્પના કરવા યોગ્ય જળદ્રવ્યમાં જ અર્થક્રિયાકારિત્વની કલ્પના કરવી એ યોગ્ય છે. તથા ઘટનાત્મક વ્યુત્પત્તિઅર્થને જે નથી જાણતો એને પણ “ઘટ'પદ પરથી ઘટબોધ થવો સ્વીકારનાર તું નામઘટ વગેરેને કેમ નથી માનતો ? આશય એ છે કે વ્યુત્પત્તિઅર્થનો બોધ ન હોવા છતાં જે ઘટબોધ થાય છે એનાથી આ સૂચન મળે છે કે ઘટાદિપદપરથી વ્યુત્પત્તિઅર્થને આગળ કરીને જ ઘટબોધ થાય એવો નિયમ નથી. શંકા - છતાં, ત્યાં પણ ઘટત્વને આગળ કરીને જ ઘટબોધ થાય છે. નામઘટાદિમાં તો ઘટત્વનો પણ અભાવ જ છે, પછી એ શી રીતે ઘટપદવાચ્ય બની શકે ? સમાધાન - જેમ વ્યુત્પત્તિનિમિત્તનો નિયમ નથી એમ પ્રવૃત્તિનિમિત્તનો નિયમ પણ નથી જ. અર્થાત્ ઘટવને આગળ કરીને જ “ઘટ’પદ પરથી ઘટનો બોધ થાય એવો પણ નિયમ નથી જ. કારણ કે પ્રવૃત્તિનિમિત્તનો અજાણ માનવી પણ સંકેતજ્ઞાનમાત્ર પરથી તે તે પદ પરથી તે તે પદાર્થના બોધનો અનુભવ કરે છે. જો આવું ન માનવામાં આવે તો, પારિભાષિક શબ્દ પરથી અર્થબોધનો અનુભવ શી રીતે થઈ શકે ? એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370