Book Title: Karmgyan Bhakti
Author(s): Annie Besant
Publisher: Gujarat Kathiawad Thiosophical Federation

View full book text
Previous | Next

Page 12
________________ ( ૭ ) છે અને કર્મ, જ્ઞાન કે ભક્તિદ્વારા ગુણાતીત થવા માંડે છે, અને બાહ્ય પ્રવૃત્તિથી આત્મા જૂદ છે, ઈન્દ્રિય તથા વિષય પ્રત્યે ભમતા મનથી પણ આત્મા ન્યા છે, એમ ધીમે ધીમે તેમને અનુભવ થતો જાય છે, અને જ્યારે તેઓ સર્જાશે સંપૂર્ણ ગુણતીત થાય છે એટલે એ ત્રિગુણોના સ્પર્શ જ ન થાય એવી સ્થિતિએ પહોંચે છે ત્યારે તેમને આત્માને સાક્ષાત્કાર થાય છે. પ્રથમ તો કર્મમાર્ગ શું છે તે આપણે જોઈશું. એ માર્ગ મનુષ્યમાત્રે ગ્રહણ કર્યો છે. પણ એ માર્ગ શું છે, તેનું અંત્ય પરિણામ શું છે, અને તેની રીતિ શું છે તે, તેઓ બીલકુલ સમજતા નથી. આપણી મનુષ્યજાતિને ઈતિહાસ તપાસતાં જણાશે કે કર્મમાર્ગે ચાલનારા મનુષ્યની પ્રવૃત્તિ દરેક પ્રકારના કર્મમાં હોય છે, તેઓ વિષયમાત્ર તરફ દોરવાય છે, અને બાહ્ય સૃષ્ટિના પદાર્થોમાં સુખ પ્રાપ્ત કરવાનાં ફાંફાં મારે છે. તેમ કરતાં દિન પ્રતિદિન વિષયમાં વિશેષ વિશેષ લપટાય છે, દિન પ્રતિદિન વિશેષ સંગ્રહ કરવામાં રોકાય છે, તેમજ પોતાની પ્રવૃત્તિ વધારીને એક જ વસ્તુમાટે પ્રયત્ન કરીને, એક પછી Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Suratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98